પદ્મ ભૂષણ બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રીનું નિધન, શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ 50 દેશમાં ફેલાયેલો છે

|

Jun 28, 2022 | 12:04 PM

Business News : શાપૂરજી પલોનજી ગ્રુપ (Shapoorji Pallonji Group) ના ચેરમેન પલોનજી મિસ્ત્રી (Pallonji Mistry) એ 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રીને એક સમયે ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

પદ્મ ભૂષણ બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રીનું નિધન, શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ 50 દેશમાં ફેલાયેલો છે
Pallonji Mistry (File Photo)

Follow us on

શાપૂરજી પલોનજી (Shapoorji Pallonji) ગ્રુપના ચેરમેન પલોનજી મિસ્ત્રી (Pallonji Mistry) એ 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. તમને જણાવી દઇએ કે શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસીસમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. મહત્વનું છે કે આ કંપનીનો બિઝનેસ વિશ્વના 50 દેશોમાં ફેલાયેલો છે. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry) ને એક સમયે ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જોકે આ વિવાદ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

શાપૂરજી પલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ જૂથ છેલ્લા 150 વર્ષથી અસ્તિત્વમાં છે. પલોનજી મિસ્ત્રીને વર્ષ 2016 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.

આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ

પલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929 માં થયો હતો. તે સૌથી ધનિક આઇરિશ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પ્રમાણે તેમની કુલ સંપત્તિ $28.9 બિલિયન છે અને તેઓ વિશ્વના 41મા સૌથી ધનિક વ્યક્તિ છે. તો તે આયર્લેન્ડનો સૌથી ધનિક વ્યક્તિ ગણવામાં આવે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ટાટા સન્સમાં 18.38 ટકાની ભાગીદારી

શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં મોટો હિસ્સો ધરાવે છે. એસપી ગ્રુપ ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે. તેમના સાયરસ મિસ્ત્રીને પણ ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં જઈને મામલો થાળે પડ્યો હતો. જે બાદ તેઓ પોતાનો હિસ્સો વેચવા માંગતા હતા. આ કેસમાં પણ બે કોર્પોરેટ હાઉસ સામ સામે છે.

જૂથ પર દેવાનો બોજ

એસપી ગ્રુપ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. કંપની પર દેવાનો મોટો બોજ છે. આવી સ્થિતિમાં જૂથ કેટલાક નોન-કોર બિઝનેસ વેચીને ભંડોળ એકત્ર કરવા માંગે છે. ટાટા સન્સમાં હિસ્સો વેચવો એ આ અંતર્ગત લેવાયેલું પગલું છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

Published On - 9:35 am, Tue, 28 June 22

Next Article