ટાટા જુથના અધ્યક્ષ નહીં બની શકે સાયરસ મિસ્ત્રી, સુપ્રિમ કોર્ટે NCLATનો આદેશ રદ કર્યો

Tata vs Mistry Case :  સાયરસ મિસ્ત્રી ટાટા જૂથના અધ્યક્ષ નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાંથી એક ટાટાને લઈને 5 વર્ષ જુના વિવાદમાં ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેમાં સાયરસ મિસ્ત્રીના નિયંત્રણ હેઠળ રહેલા શાપુર પાલનજી ગ્રુપને મળેલા વળતર અંગે કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી.

ટાટા જુથના અધ્યક્ષ નહીં બની શકે સાયરસ મિસ્ત્રી, સુપ્રિમ કોર્ટે NCLATનો આદેશ રદ કર્યો
ટાટા જુથના અધ્યક્ષ નહીં બની શકે સાયરસ મિસ્ત્રી
Follow Us:
| Updated on: Mar 26, 2021 | 2:50 PM

Tata vs Mistry Case :  Cyrus Mistry ટાટા જૂથના અધ્યક્ષ નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાંથી એક ટાટાને લઈને 5 વર્ષ જુના વિવાદમાં ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેમાં સાયરસ મિસ્ત્રીના નિયંત્રણ હેઠળ રહેલા શાપુર પાલનજી ગ્રુપને મળેલા વળતર અંગે કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. ચીફ જસ્ટિસ એસ.એ. બડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું છે કે આ અંગે એક અલગ કાનૂની પ્રક્રિયા થશે.

મિસ્ત્રીને 2016 માં અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

2016 માં બોર્ડ મીટિંગમાં Cyrus Mistry ને ટાટા અધ્યક્ષ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે તેમણે કાનૂની લડત લડી હતી. ડિસેમ્બર 2019 માં એનસીએલએટીએ મિસ્ત્રીને દૂર કરવાની પદ્ધતિને ખોટી ગણાવી હતી. તેમને પુન: સ્થાપનાનો આદેશ આપ્યો. આની સામે ટાટા જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું. જાન્યુઆરી 2020 માં સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના આદેશ પર સ્ટે આપ્યો હતો. જેમાં આજે કોર્ટે ટાટા બોર્ડમાં કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ગણાવી એનસીએલએટીના આદેશને રદ કર્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

બીજી તરફ શાપુરજી પાલનજી ગ્રુપ અને Cyrus Mistry એ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. તેમની ફરિયાદ હતી કે એનસીએલએટી ટાટા ગ્રૂપના નિયમોને રદ કરતી નથી. જેનો મિસ્ત્રીને દૂર કરવા માટે દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં આવું ફરીથી થવાની સંભાવના રહેશે.

શાપુરજી પાલનજી જૂથ કેસ અંગે કોઈ આદેશ નથી

મિસ્ત્રી દ્વારા નિયંત્રિત શાપોર પાલનજી જૂથ ટાટા જૂથના એક ભાગ ટાટા સન્સમાં 18.4 ટકા શેર ધરાવે છે. શાપુરજી પાલનજીએ સુપ્રીમ કોર્ટમાંથી માંગ પણ કરી હતી કે તેમને ટાટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સના શેરનો 18.4% હિસ્સો આપવામાં આવે. પરંતુ કોર્ટે આ અંગે કોઈ આદેશ આપ્યો નથી

સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવા યોગ્ય

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુજબ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવાને યોગ્ય માનવામાં આવ્યું છે. જ્યારે કોર્ટે શેર સાથે જોડાયેલા કેસમાં કહ્યું કે ટાટા અને મિસ્ત્રી બંને ગ્રુપ સાથે મળીને આ કેસને ઉકેલે. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સાઇરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને એનસીએલએટી ના નિર્ણય વિરુદ્ધ ક્રોસ અપીલ દાખલ કરી હતી. જેની પર આજે સુપ્રિમ કોર્ટે નિર્ણય આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">