LIC IPO: રવિવારે બેંકની શાખા ખોલવા સામે વિરોધ, બેંક યુનિયને આરબીઆઈના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો

આરબીઆઈએ (RBI) બુધવારે જાહેરાત કરી હતી કે, એલઆઈસીના આઈપીઓ માટે ASBA (એપ્લીકેશન સપોર્ટેડ અમાઉન્ટ બ્લોક ઇન ધ એકાઉન્ટ) સુવિધા સાથેની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે, યુનિયનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

LIC IPO: રવિવારે બેંકની શાખા ખોલવા સામે વિરોધ, બેંક યુનિયને આરબીઆઈના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 6:03 PM

એલઆઈસીના IPO (LIC IPO) માટે રોકાણકારોને અરજી કરવામાં મદદ કરવા બેંક યુનિયને રવિવારે બેંક શાખા ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. બેંક ઓફિસર્સ યુનિયને આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને બિનજરૂરી રીતે ખર્ચ વધારવાનું પગલું ગણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે માહિતી આપી હતી કે LICની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટે ASBA (એપ્લિકેશન બેક્ડ બાય એકાઉન્ટ બ્લોક્ડ માઉન્ટ) સુવિધા ધરાવતી (ASBA bank branch) બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી આ સંબંધમાં એક વિનંતી મળી હતી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોકાણકારો શનિવાર અને રવિવાર એમ બંને દિવસે LICના IPOમાં બિડ લગાવી શકે છે.

બેંક યુનિયનને શું આપત્તિ છે

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે રોકાણકારો દ્વારા આઈપીઓ માટે ઓનલાઈન અરજીઓના વધતા ઉપયોગને જોતા, એવું અનુમાન છે કે રવિવારે શાખા ખુલ્લી રાખવાથી કોઈ ફાયદો થશે નહીં અને કોઈપણ રોકાણકાર ભૌતિક ફોર્મેટમાં અરજી કરશે નહીં. આવી સ્થિતિમાં, આ પગલું યોગ્ય નથી અને બેંકો આવા પગલાઓ પરનો ઊંચો ખર્ચ સહન કરી શકે નહીં. AIBOC અનુસાર, આ પગલાથી રજાના દિવસે બેંક શાખા ખોલવાથી બેંકો પર 100 કરોડ રૂપિયાથી વધુનો બોજ પડી શકે છે. યુનિયને કહ્યું કે આને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે નિર્ણયની સમીક્ષા કરીને આ નિર્ણય પાછો લેવો જોઈએ.

રવિવારે ખુલી રહેશે ASBA શાખા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે જાહેરાત કરી હતી કે ASBA (એપ્લીકેશન સપોર્ટેડ અમાઉન્ટ બ્લોક ઇન ધ એકાઉન્ટ) સુવિધા સાથે LICની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટેની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ

એલઆઈસીના જણાવ્યા અનુસાર નાના રોકાણકારોને આઈપીઓમાં બિડ કરવાની તક આપવામાં આવશે પરંતુ તેમના માટે રોકાણની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલિસી ધારકોને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીના શેર ખરીદવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં છૂટક રોકાણકારો IPOમાં માત્ર 2 લાખ રૂપિયા સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ પણ કરી શકશે. જો કે આ માટે તમામ પોલિસી ધારકો માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કંપનીનો IPO 9 મેના રોજ બંધ થશે.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">