AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: રવિવારે બેંકની શાખા ખોલવા સામે વિરોધ, બેંક યુનિયને આરબીઆઈના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો

આરબીઆઈએ (RBI) બુધવારે જાહેરાત કરી હતી કે, એલઆઈસીના આઈપીઓ માટે ASBA (એપ્લીકેશન સપોર્ટેડ અમાઉન્ટ બ્લોક ઇન ધ એકાઉન્ટ) સુવિધા સાથેની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે, યુનિયનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

LIC IPO: રવિવારે બેંકની શાખા ખોલવા સામે વિરોધ, બેંક યુનિયને આરબીઆઈના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 6:03 PM
Share

એલઆઈસીના IPO (LIC IPO) માટે રોકાણકારોને અરજી કરવામાં મદદ કરવા બેંક યુનિયને રવિવારે બેંક શાખા ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. બેંક ઓફિસર્સ યુનિયને આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને બિનજરૂરી રીતે ખર્ચ વધારવાનું પગલું ગણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે માહિતી આપી હતી કે LICની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટે ASBA (એપ્લિકેશન બેક્ડ બાય એકાઉન્ટ બ્લોક્ડ માઉન્ટ) સુવિધા ધરાવતી (ASBA bank branch) બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી આ સંબંધમાં એક વિનંતી મળી હતી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોકાણકારો શનિવાર અને રવિવાર એમ બંને દિવસે LICના IPOમાં બિડ લગાવી શકે છે.

બેંક યુનિયનને શું આપત્તિ છે

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે રોકાણકારો દ્વારા આઈપીઓ માટે ઓનલાઈન અરજીઓના વધતા ઉપયોગને જોતા, એવું અનુમાન છે કે રવિવારે શાખા ખુલ્લી રાખવાથી કોઈ ફાયદો થશે નહીં અને કોઈપણ રોકાણકાર ભૌતિક ફોર્મેટમાં અરજી કરશે નહીં. આવી સ્થિતિમાં, આ પગલું યોગ્ય નથી અને બેંકો આવા પગલાઓ પરનો ઊંચો ખર્ચ સહન કરી શકે નહીં. AIBOC અનુસાર, આ પગલાથી રજાના દિવસે બેંક શાખા ખોલવાથી બેંકો પર 100 કરોડ રૂપિયાથી વધુનો બોજ પડી શકે છે. યુનિયને કહ્યું કે આને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે નિર્ણયની સમીક્ષા કરીને આ નિર્ણય પાછો લેવો જોઈએ.

રવિવારે ખુલી રહેશે ASBA શાખા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે જાહેરાત કરી હતી કે ASBA (એપ્લીકેશન સપોર્ટેડ અમાઉન્ટ બ્લોક ઇન ધ એકાઉન્ટ) સુવિધા સાથે LICની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટેની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે.

મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ

એલઆઈસીના જણાવ્યા અનુસાર નાના રોકાણકારોને આઈપીઓમાં બિડ કરવાની તક આપવામાં આવશે પરંતુ તેમના માટે રોકાણની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલિસી ધારકોને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીના શેર ખરીદવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં છૂટક રોકાણકારો IPOમાં માત્ર 2 લાખ રૂપિયા સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ પણ કરી શકશે. જો કે આ માટે તમામ પોલિસી ધારકો માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કંપનીનો IPO 9 મેના રોજ બંધ થશે.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">