AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર : ટાટા સ્ટીલ કંપનીનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે

ટાટા સ્ટીલ કંપની દ્વારા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 'જોબ ફોર જોબ' સ્કીમ હેઠળ કર્મચારીઓ તેમની નોકરી તેમના પુત્ર, પુત્રી, જમાઈ અથવા આશ્રિત તરીકે અન્ય કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકશે.

ખુશખબર : ટાટા સ્ટીલ કંપનીનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે
Tata Steel Company (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 1:30 PM
Share

Jharkhand : ટાટા સ્ટીલે તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. હવે ટાટા સ્ટીલના કર્મચારીઓ ચોક્કસ સમયગાળા માટે કંપનીમાં સેવા આપ્યા બાદ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે. આ માટે કંપનીએ ‘જોબ ફોર જોબ’ સ્કીમ બહાર પાડી છે. સાથે કંપની ESS (Early Separation Scheme) પણ શરૂ કરી રહી છે, જે અકાળે નિવૃત્ત થનારાઓને આકર્ષક લાભો આપવાની યોજના છે. આ બંને યોજનાઓને કંપનીએ ‘ગોલ્ડન ફ્યુચર સ્કીમ’ નામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાઓ 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.

‘જોબ ફોર જોબ’ સ્કીમ અંતર્ગત કર્મચારીઓને મળશે આ લાભ

કંપનીએ આ માટે પરિપત્ર બહાર પાડીને કર્મચારીઓને યોજનાની જાણ કરી છે. સૂત્રો અનુસાર ‘જોબ ફોર જોબ’ સ્કીમ (Job For Job) હેઠળ કર્મચારીઓ તેમની નોકરી તેમના પુત્ર, પુત્રી, જમાઈ અથવા અન્ય કોઈ વ્યક્તિને આશ્રિત તરીકે ટ્રાન્સફર કરી શકશે. તમને જણાવી દઈએ કે, આશ્રિતને શરૂઆતમાં એપ્રેન્ટિસ તરીકે રાખવામાં આવશે. ઉપરાંત તાલીમ (Training) બાદ તેણે પરીક્ષા પણ પાસ કરવાની રહેશે. તે બાદ જ તેની નોકરી કાયમી કરવામાં આવશે. તેમજ પરીક્ષામાં નાપાસ થનાર આશ્રિતને નોકરીથી વંચિત રહેવું પડશે.

પોતાની જોબ ટ્રાન્સફર કરવા માટે કર્મચારીની ઉંમર આટલી હોવી જોઈએ

કંપનીના કાયમી કર્મચારીઓમાંથી 3500 કર્મચારીઓ છે, જેમની ઉંમર 52 વર્ષથી વધુ છે. જોબ ફોર જોબ સ્કીમ હેઠળ તેઓ પોતાની નોકરી આશ્રિતોને ટ્રાન્સફર (Job Transfer) કરી શકે છે. જો કે આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીની લઘુત્તમ 52 વર્ષની વય ફરજિયાત રહેશે. તેમજ ESS યોજના હેઠળ કામદારોની ઓછામાં ઓછી 45 વર્ષની વય નક્કી કરવામાં આવી છે.

શું બંને યોજનાનો કર્મચારી લાભ લઈ શકશે ?

ઉપરાંત બંને યોજનાઓનો એક સાથે લાભ લેતા કર્મચારીઓની લઘુત્તમ વય મર્યાદા 50 વર્ષ રાખવામાં આવી છે. જો કોઈ કર્મચારીની ઉંમર 50 વર્ષની હોય અને નોકરી માટે ESS અને ‘જોબ ફોર જોબ’ બંનેનો લાભ મેળવવા ઈચ્છતો હોય, તો તેણે અરજી કરતી વખતે ફોર્મમાં સ્વીચ ઓવર વિકલ્પ પર ટિક કરવાનુ રહેશે. આવા કર્મચારીને 55 વર્ષ સુધી વર્તમાન બેઝિક-ડીએની (Basic DA) કુલ રકમ મળતી રહેશે અને 55 વર્ષ બાદ આશ્રિત ટાટા સ્ટીલમાં જોબ માટે અરજી કરી શકશે.

આ પણ વાંચો : Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર, Nifty 18000 નીચે પહોંચ્યો, Sensex 60500 સુધી લપસ્યો

આ પણ વાંચો : Stock Update : શેરબજારમાં નરમાશ વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર – ચઢાવ? જાણો અહેવાલમાં

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">