Share Market : હવે એકજ દિવસમાં શેરના લેવડ – દેવડની કામગીરી પૂર્ણ થશે, શેર વેચવાના બીજા દિવસે ખાતામાં આવશેપૈસા

T+1 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ડિફોલ્ટનું જોખમ ઓછું થશે અને બજારમાં વધુ રોકડ ઉપલબ્ધ થશે. બજારના નિષ્ણાતો માને છે કે આનાથી રોકાણકારોનો રસ વધશે અને શેરબજારમાં વોલ્યુમ પણ વધશે.

Share Market : હવે એકજ દિવસમાં શેરના લેવડ - દેવડની કામગીરી પૂર્ણ થશે, શેર વેચવાના બીજા દિવસે ખાતામાં આવશેપૈસા
શેર ખરીદ્યાના બીજા જ દિવસે શેર ડીમેટ ખાતામાં ટ્રાન્સફર થઈ જશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 7:46 AM

શેરબજાર(Share Market)માં રોકાણ કરનારા રોકાણકારોને મોટી રાહત મળવાની છે. હવે શેર વેચ્યા બાદ ખાતામાં પૈસા પહોંચતા બે દિવસ લાગશે નહીં. બીજી તરફ શેર ખરીદ્યાના બીજા જ દિવસે શેર ડીમેટ ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. દેશના સ્ટોક એક્સચેન્જ મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં શેરના વ્યવહારો માટે ચુકવણીની T+1 સિસ્ટમ શુક્રવાર 25 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવી છે. T+1 એટલે કે સમાધાન સંબંધિત ટ્રાન્ઝેક્શન વાસ્તવિક ટ્રાન્ઝેક્શનના એક દિવસની અંદર થશે. હાલમાં સેટલમેન્ટનો નિયમ T+2 છે એટલે કે શેરની ખરીદી અને વેચાણની રકમ વાસ્તવિક વ્યવહારના બે દિવસની અંદર સંબંધિત ખાતામાં જમા કરવામાં આવે છે.

T+1 શું છે?

એક ઉદાહરણ સાથે સમજો કે જો તમે બુધવારે સ્ટોક ખરીદો છો, તો તમારા ડીમેટ ખાતામાં સ્ટોક બે દિવસ પછી શુક્રવારે આવશે. એ જ રીતે જો તમે બુધવારે શેર વેચ્યા તો શુક્રવારે તમને વળતર ચૂકવવામાં આવશે અને તમારા ખાતામાં પૈસા આવશે. પરંતુ હવેથી તમે બુધવારે શેર ખરીદ્યા હોવાથી શેર ગુરુવારે જ તમારા ડીમેટ ખાતામાં આવશે. ઉપરાંત જો તમે બુધવારે શેર વેચો છો તો પૈસા ગુરુવારે ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

શું ફાયદો થશે

T+1 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ડિફોલ્ટનું જોખમ ઓછું થશે અને બજારમાં વધુ રોકડ ઉપલબ્ધ થશે. બજારના નિષ્ણાતો માને છે કે આનાથી રોકાણકારોનો રસ વધશે અને શેરબજારમાં વોલ્યુમ પણ વધશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ નિર્ણય એક્સચેન્જો દ્વારા લેવામાં આવ્યો હતો

ગયા વર્ષે નવેમ્બરમાં BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. તે પછી જણાવવામાં આવ્યું હતું કે 25 ફેબ્રુઆરી, 2022 થી T+1 લોન્ચ કરવામાં આવશે. પ્રથમ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 100 સૌથી નાની કંપનીઓમાં સિસ્ટમ લાગુ કરવામાં આવશે. પછી માર્ચના છેલ્લા શુક્રવારે ઓછામાં ઓછા માર્કેટ કેપિટલાઇઝેશનના ક્રમમાં 500 નવા સ્ટોક ઉમેરવામાં આવશે. તે પછી દર મહિનાના છેલ્લા શુક્રવારે જ્યાં સુધી તમામ સ્ટોક તેના કાર્યક્ષેત્રમાં ન આવે ત્યાં સુધી 500 નવા સ્ટોક આ જ રીતે ઉમેરવામાં આવશે.

2003માં 5 દિવસથી ઘટાડીને બે દિવસ કરવામાં આવ્યો હતો

શેરના વ્યવહારમાંથી ઉપાર્જિત રકમ વાસ્તવિક ટ્રાન્ઝેક્શનના પાંચ દિવસ પહેલા એટલે કે T + 5 સુધી ખાતામાં જમા કરવામાં આવતી હતી. શેરબજાર નિયમનકાર સેબીએ વર્ષ 2002માં તેને ઘટાડીને T + 3 કરી હતી ત્યારબાદ વેચાણની ત્રણ દિવસમાં સંબંધિત શેરધારકના એકાઉન્ટમાં રકમ આવવા લાગી હતી. માર્કેટ રેગ્યુલેટરે 2003માં તેને બે દિવસ સુધી ઘટાડી દીધો હતો. નિષ્ણાતો કહે છે કે આ નવી સિસ્ટમ શેરબજારમાં ફંડની આપ-લેને ઝડપી બનશે.

આ પણ વાંચો : એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન FDI ઇક્વિટી 16 ટકા ઘટીને 43.17 અબજ ડોલર સુધી ગગડી : DPIIT

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ Gautam Adaniની આ કંપનીનો શેર 12 ટકા ઉછળ્યો, જાણો વિગતવાર

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">