AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio IPO: મુકેશ અંબાણી લાવશે રોકાણકારો માટે કમાણીની તક, Jio ચાલુ વર્ષે IPO લાવશે

Reliance Jio IPO: CLSA એ Reliance Jio માટે 99 અબજ ડોલરનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય નક્કી કર્યું છે. જીઓ ફાઇબર બિઝનેસ માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5 અબજ ડોલર નક્કી કરવામાં આવી છે.

Reliance Jio IPO: મુકેશ અંબાણી લાવશે રોકાણકારો માટે કમાણીની તક, Jio ચાલુ વર્ષે IPO લાવશે
Mukesh Ambani - Chairman , RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 12:05 PM
Share

Reliance Jio IPO: વર્ષ 2022 IPO માટે પણ શાનદાર રહેવાની અપેક્ષા છે. એક મીડિયા રિપોર્ટ CLSA ને ટાંકીને કહ્યું કે આ વર્ષે રિલાયન્સ તેના ટેલિકોમ બિઝનેસને અલગ કરશે અને Jio ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. રેટિંગ એજન્સી CLSA અનુસાર Reliance Jioનો IPO ટેલિકોમ સેક્ટરને વેગ આપશે. આ વર્ષે પણ 5G સંબંધિત નોંધપાત્ર વિકાસ જોવા મળશે.

CLSAના રિપોર્ટ અનુસાર આ વર્ષે 5G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. આ ઉપરાંત રિલાયન્સ જિયોનો આઈપીઓ પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં વર્ષ 2020 માં Jio એ વિશ્વભરના 13 દિગ્ગજ રોકાણકારો પાસેથી 1.53 લાખ કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કર્યું હતું. આ 13 રોકાણકારો પાસે જિયોમાં લગભગ 33 ટકા હિસ્સો છે. ફેસબુકનો 10 ટકા હિસ્સો છે ઉપરાંત ગૂગલમાં 8 ટકા હિસ્સો છે. ગૂગલે જિયોમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જ્યારે ફેસબુકે 43574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

99 અબજની વેલ્યુએશન

CLSA એ Reliance Jio માટે 99 અબજ ડોલરનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય નક્કી કર્યું છે. જીઓ ફાઇબર બિઝનેસ માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5 અબજ ડોલર નક્કી કરવામાં આવી છે.

ટેરિફમાં વધારાનો લાભ

ટેલિકોમ કંપનીઓ આર્થિક દબાણમાંથી પસાર થઈ રહી છે. તેમના પર AGR એરિયર્સ અને સ્પેક્ટ્રમ ચાર્જિસનો બોજ ઘણો વધારે છે. જોકે સરકારે ચાર વર્ષનો મોરેટોરિયમ આપ્યો છે. આ સમય દરમિયાન તેમને વ્યાજ ચૂકવવું પડશે. ટેલિકોમ કંપનીઓ તેમની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ટેરિફમાં વધારો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના ટેરિફમાં 20-25 ટકાનો વધારો કર્યો છે.

APRU માટે ઓછામાં ઓછા રૂપિયા 200ની જરૂર

આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે જો APRU એટલે કે સરેરાશ આવક પર વપરાશકર્તાઓમાં વધારો થશે તો તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. એરટેલના વડા સુનિલ મિત્તલે અનેક પ્રસંગોએ કહ્યું છે કે જો ટેલિકોમ કંપનીઓએ ટકી રહેવું હોય અને ટેક્નોલોજી એડવાન્સમેન્ટ પર વધુ ખર્ચ કરવો હોય તો APRU ઓછામાં ઓછો રૂ. 200 હોવો જોઈએ. જેમ જેમ તે વધશે તેમ ટેલિકોમ કંપનીઓની નાણાકીય સ્થિતિ મજબૂત થશે.

આ પણ વાંચો : PNB ના ગ્રાહકો માટે માઠાં સમાચાર: 15 જાન્યુઆરીથી આ સેવાઓ માટે વધુ ચાર્જીસ ચૂકવવા પડશે

આ પણ વાંચો : LIC IPO પહેલા આવ્યા ચિંતાના સમાચાર : પ્રીમિયમ ઈન્કમમાં 20 ટકા નો ઘટાડો થયો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">