AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO ને SEBI તરફથી મળ્યો ગ્રીન સિગ્નલ, 31 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચશે સરકાર

IPO એ ભારત સરકાર દ્વારા વેચાણ માટેની ઓફર (OFS) છે અને LIC દ્વારા શેરનો કોઈ નવો ઈશ્યુ નથી. સરકાર પાસે LICમાં 100 ટકા હિસ્સો અથવા 632.49 કરોડથી વધુ શેર છે. શેરની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ શેર છે.

LIC IPO ને SEBI તરફથી મળ્યો ગ્રીન સિગ્નલ, 31 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચશે સરકાર
ટૂંક સમયમાં LICનો IPO લાવવા તૈયારી ચાલી રહી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 10:30 AM
Share

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ને મંગળવારે મૂડી બજાર નિયામક સેબી(SEBI) તરફથી પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવાની મંજૂરી મળી છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. સેબીમાં ફાઈલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ સરકાર LIC IPOના 31 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચશે. IPO નો એક હિસ્સો એન્કર રોકાણકારો માટે આરક્ષિત રહેશે. ઉપરાંત LIC IPO ઇશ્યૂના કદના 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રહેશે.સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 78,000 કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પહોંચી વળવા જીવન વીમા કંપનીમાં 5 ટકા હિસ્સો વેચીને રૂ. 63,000 કરોડ એકત્ર કરવાની આશા રાખતી હતી. DRHP એટલે કે IPO પ્રસ્તાવ SEBI સમક્ષ 13મી ફેબ્રુઆરીએ LIC વતી સબમિટ કરવામાં આવ્યો હતો.

IPO એ ભારત સરકાર દ્વારા વેચાણ માટેની ઓફર (OFS) છે અને LIC દ્વારા શેરનો કોઈ નવો ઈશ્યુ નથી. સરકાર પાસે LICમાં 100 ટકા હિસ્સો અથવા 632.49 કરોડથી વધુ શેર છે. શેરની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ શેર છે.

શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હશે

LIC પબ્લિક ઈશ્યુ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO હશે. એકવાર લિસ્ટેડ થયા પછી LICનું માર્કેટ વેલ્યુએશન RIL અને TCS જેવી ટોચની કંપનીઓની સમકક્ષ હશે.

આઈપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળના સંદર્ભમાં અત્યાર સુધી Paytm સૌથી આગળ છે. વર્ષ 2021માં તેણે આઈપીઓમાંથી રૂ. 18,300 કરોડ એકત્ર કર્યા હતા. આ પછી કોલ ઈન્ડિયાએ 2010માં આશરે રૂ. 15,500 કરોડ અને રિલાયન્સ પાવરે 2008માં રૂ. 11,700 કરોડ એકત્ર કર્યા હતા.

મિલિમેન એડવાઈઝર્સ એલએલપી ઈન્ડિયાએ એલઆઈસીની એમ્બેડેડ વેલ્યુ પર કામ કર્યું હતું જ્યારે ડેલોઈટ અને એસબીઆઈ કેપ્સને પ્રી-આઈપીઓ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

LICમાં 20 ટકા FDIને મંજૂરી

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે આ IPOમાં વિદેશી રોકાણકારોને સામેલ કરવા માટે FDI પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ એલઆઈસીના આઈપીઓના 20 ટકા સુધી ઓટોમેટિક રૂટ દ્વારા વિદેશી રોકાણ માટે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં વીમા ક્ષેત્રમાં 74 ટકા એફડીઆઈ ઓટોમેટિક રૂટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

LIC નજીકના ભવિષ્યમાં ખાનગી વીમા કંપનીઓને તેના વ્યવસાયને બિન-ભાગીદારી નીતિ તરફ ખસેડીને પડકાર આપી શકે છે. સ્વિસ બ્રોકરેજ ફર્મ ક્રેડિટ સુઈસે આઈપીઓની મંજૂરી માટે માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઈલ કરેલી અરજીની વિગતોનું વિશ્લેષણ કર્યા બાદ તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ વાત કહી છે. અહેવાલ મુજબ, SBI લાઇફ, ICICI પ્રુડેન્શિયલ, HDFC લાઇફ અને મેક્સ લાઇફ જેવી જીવન વીમા કંપનીઓને LICના વ્યવસાયિક મહત્વમાં ફેરફારનો ભોગ બનવું પડશે.

આ પણ વાંચો : રશિયાની પશ્ચિમી દેશોને ચીમકી : અમને છંછેડ્યા તો ક્રૂડ 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદવા તૈયાર રહેજો

આ પણ વાંચો : TCS ની બાયબેક ઓફરનો આજથી પ્રારંભ, છેલ્લી તારીખ- શેરની કિંમત અને અગત્યની માહિતી જાણો અહેવાલ દ્વારા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">