Anil Ambaniને મોટો ફટકો, પહેલા રાફેલ ‘ફૂંક્યું’ – હવે આ 5 એરપોર્ટ હાથમાંથી જશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના સિતારા નસીબના આડેનું પાંદડું ખસવાનું નામ નથી લઇ રહ્યું. હવે મહારાષ્ટ્ર સરકારે તેમની પાસેથી 5 એરપોર્ટ પાછા લેવાનું મન બનાવી લીધું છે.

Anil Ambaniને મોટો ફટકો, પહેલા રાફેલ 'ફૂંક્યું' - હવે આ 5 એરપોર્ટ હાથમાંથી જશે
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 2:56 PM

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી(Anil Ambani)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે રાફેલ વિમાનના પાર્ટ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ તેમના હાથમાંથી છીનવાઈ શકે છે અને હવે મહારાષ્ટ્ર સરકાર તેમની પાસેથી 5 એરપોર્ટ પણ પાછા લેવા જઈ રહી છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણી ખરીદશે અનિલ અંબાણીની ફડચામાં ગયેલી કંપની, જાણો શું છે અદાણી ગ્રુપની યોજના?

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં અનિલ અંબાણી જૂથ પાસેથી 5 એરપોર્ટ પાછા લઈ શકે છે. આ માટે સરકાર કાયદાકીય નિષ્ણાતો સાથે પણ વાત કરી રહી છે. આ એરપોર્ટ રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સને 2008-09 વચ્ચે આપવામાં આવ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અનિલ અંબાણીએ આ 5 એરપોર્ટ પરત કરવા પડશે

મહારાષ્ટ્ર સરકારે અનિલ અંબાણી જૂથને લાતુર, ઉસ્માનાબાદ, નાંદેડ, યવતમાલ અને બારામતી એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કંપનીએ આ એરપોર્ટનો વિકાસ, જાળવણી અને કામગીરી શરૂ કરવાની હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ ન તો એરપોર્ટની જાળવણી કરી કે ન તો સરકારની વૈધાનિક લેણાની ચૂકવણી કરી.

સરકાર હવે આ એરપોર્ટનો કંટ્રોલ પાછો લેવાનું વિચારી રહી છે. આ માટે એડવોકેટ જનરલની સલાહ પણ લેવામાં આવી રહી છે. બાદમાં એક ટ્વીટમાં ફડણવીસે કહ્યું કે નાંદેડ અને લાતુર એરપોર્ટનું કામ અટકી ગયું છે.

રાફેલ વિમાનનો કોન્ટ્રાક્ટ પણ હવે મુશ્કેલીમાં!

અનિલ અંબાણીની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડને ભારતે 36 રાફેલ એરક્રાફ્ટ ખરીદવા માટે કરેલા સોદામાં ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી હતી. રાફેલ બનાવનારી ફ્રાંસની દસોલ્ટે રિલાયન્સની આ કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. હવે એવા અહેવાલ છે કે દસોલ્ટ તેના ઓફસેટ ભાગીદારનો હિસ્સો ખરીદીને ભારતમાં 100 ટકા સબસિડિયરી ખોલવા માંગે છે.

નવી મુંબઈ એરપોર્ટ આવતા વર્ષથી કાર્યરત થઈ જશે

આ સાથે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવી મુંબઈનું એરપોર્ટ આવતા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે. આ નવા એરપોર્ટ પરથી આવતા વર્ષે ઓગસ્ટથી ફ્લાઈટ્સ ઉડવાની શરૂઆત થશે. જ્યારે રાજ્ય સરકાર શિરડી એરપોર્ટ પર રૂ. 650 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું કામ કરી રહી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">