AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Hallmarking મામલે જવેલર્સે સરકાર સામે બાંયો ચઢાવી , 23 ઓગસ્ટે સુવર્ણકારોએ હડતાલનું એલાન અપાયું

HUID (hallmark unique identification number) સાથે સોનાના દાગીનાના Hallmarkingને મનસ્વીરીતે લાગુ કરવાના સરકારના નિર્ણય સામે 23 ઓગસ્ટના રોજ આંદોલનનું હથિયાર ઉગામવાની જાહેરાત કરાઈ છે.

Gold Hallmarking મામલે જવેલર્સે સરકાર સામે બાંયો ચઢાવી , 23 ઓગસ્ટે સુવર્ણકારોએ હડતાલનું એલાન અપાયું
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:03 AM
Share

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી હાઉસહોલ્ડ કાઉન્સિલ (GJC) એ દેશવ્યાપી ‘પ્રતીકાત્મક હડતાલ’ નું એલાન આપ્યું છે. HUID (hallmark unique identification number) સાથે સોનાના દાગીનાના Hallmarkingને મનસ્વીરીતે લાગુ કરવાના સરકારના નિર્ણય સામે 23 ઓગસ્ટના રોજ આંદોલનનું હથિયાર ઉગામવાની જાહેરાત કરાઈ છે. સરકારે આ સામે શનિવારે જણાવ્યું હતું કે સોનાના દાગીનાના ફરજિયાત હોલમાર્કિંગના પ્રથમ 50 દિવસના તબક્કાનો અમલ જબરદસ્ત સફળ રહ્યો છે. આ સાથે સરકારે બુલિયન વેપારીઓની સંસ્થા GJC ને 23 ઓગસ્ટના રોજ હડતાલ પર જવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

16 જૂનથી તબક્કાવાર રીતે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવી રહી છે. સરકારે પ્રથમ તબક્કાના અમલીકરણ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાઓની ઓળખ કરી છે. કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર એટલે કે હોલમાર્કિંગ 16 મી જૂન પહેલા સ્વૈચ્છિક હતું. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે કેટલાક યુનિયનોએ હડતાલનું એલાન કર્યું છે. હડતાલ શા માટે? સરકાર હિસ્સેદારો દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દાને સાંભળી રહી છે. હડતાલનો વિચાર બિનજરૂરી છે. ”

ઘણા જવેલર્સે હડતાળનો વિરોધ કર્યો તાજેતરમાં 19 ઓગસ્ટના રોજ ઉદ્યોગના સભ્યો સાથેની બેઠકમાં,બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે ઘણા જ્વેલર્સ સંગઠનોએ હડતાલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ નવી HUID સિસ્ટમને ટેકો આપે છે કારણ કે તે દેશના નાના અને મધ્યમ બુલિયન વેપારીઓને માટે બ્રાન્ડ નામ બની ગયું છે તેમણે કહ્યું, “જો કેટલાક લોકોને કોઈ સમસ્યા હોય, તો તેનો કોઈ આધાર નથી. હું હડતાલ વિશે વિચારી રહેલા લોકોને અપીલ કરવા માંગુ છું કે તેઓને આવી સંવેદનશીલ અને સંવાદ કરનાર સરકાર નહિ મળે ”

રજીસ્ટર્ડ બુલિયન વેપારીઓની સંખ્યામાં વધારો થયો તેમણે નવી પહેલના અમલીકરણની સમયમર્યાદા વધારવાનો પણ ઇનકાર કર્યો હતો. વધુમાં કહ્યું કે ગોલ્ડ હોલમાર્કિંગની રજૂઆત સમયે નોંધાયેલા બુલિયન વેપારીઓની સંખ્યા 35,000 હતી, હવે આવા જ્વેલર્સની સંખ્યા વધીને 91,603 થઈ ગઈ છે. જ્યારે HUID અમલમાં આવ્યું ત્યારે 1 જુલાઈથી 20 ઓગસ્ટની વચ્ચે પરીક્ષણ કેન્દ્રો પર 1.17 કરોડ જ્વેલરી પ્રાપ્ત થઈ હતી. પહેલા પખવાડિયામાં ટેસ્ટિંગ અને હોલમાર્કિંગ માટે મોકલવામાં આવેલા જ્વેલરીની સંખ્યા પણ ઓગસ્ટના પહેલા પખવાડિયામાં 5,135 થી વધીને 14,349 યુનિટ થઈ હતી.

આ પણ વાંચો :  ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ

આ પણ વાંચો :  ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">