AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે? તો આ કારણે તે રદ થઈ શકે છે, વહેલી તકે પતાવીલો આ કામ

UIDAI ના આધાર સેવા કેન્દ્રના ઈન્ચાર્જ નિશુ શુક્લા કહે છે કે જો કોઈએ આ સમયગાળા દરમિયાન આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કર્યો હોય તો ઈ-કેવાયસી આ સમયે થયું હોવું જોઈએ.  પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જેમનું સરનામું, મોબાઈલ નંબર એક જ રહે છે.

શું તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે? તો આ કારણે તે રદ થઈ શકે છે, વહેલી તકે પતાવીલો આ કામ
Aadhar CardImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 2:23 PM
Share

જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે અને આ સમયગાળા દરમિયાન તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કર્યો નથી તો તમારું આધાર કાર્ડ રદ થઈ શકે છે. ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા – UIDAI એ આ પ્રક્રિયા શરૂ કરી છે. મોટી સંખ્યામાં લોકોના આધાર કાર્ડ પણ રદ કરવામાં આવી રહ્યા છે. સમસ્યાથી  બચવા માટે તમારે આધાર કાર્ડમાં એક કામ કરાવવું પડશે.UIDAI અનુસાર જેમનું આધાર કાર્ડ જૂનું છે અને તેઓએ હજુ સુધી e-KYC કર્યું નથી તો તેમણે તરત અપડેટ કરવું પડશે

આ લોકોએ તરત જ નજીકના (ધ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા – UIDAI ના આધાર સેવા કેન્દ્ર પર જઈને તેને અપડેટ કરાવી શકે છે. આ કામ ફરજિયાત બની ગયું છે. UIDAI ના આધાર સેવા કેન્દ્રના ઈન્ચાર્જ નિશુ શુક્લા કહે છે કે જો કોઈએ આ સમયગાળા દરમિયાન આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કર્યો હોય તો ઈ-કેવાયસી આ સમયે થયું હોવું જોઈએ.  પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જેમનું સરનામું, મોબાઈલ નંબર એક જ રહે છે અથવા આધાર કાર્ડ બન્યા પછી અન્ય કોઈ રીતે કોઈ ફેરફાર થયો નથી. આવા આધાર કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો e KYC ન કર્યું હોય તો આધાર કાર્ડ રદ થઈ શકે છે.

ઈ-કેવાયસી કરાવવાની ફી રૂ. 50 છે. કાર્ડ ધારકે બે વસ્તુઓ સાથે પાન કાર્ડ, મતદાર કાર્ડ અથવા વીજળી બિલ, રજિસ્ટ્રી, પાસપોર્ટ વગેરે લાવવાની રહેશે. આ સિવાય કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ બીજા રાજ્યનું છે અને તે ઈચ્છે છે કે આધાર કાર્ડ પર તેનું સરનામું એ જ રહે તો તે જૂના સરનામાનો પુરાવો મૂકી શકે છે. આ માટે કોઈ એપોઈન્ટમેન્ટની જરૂર નથી. તે સીધા આધાર સેવા કેન્દ્ર પર આવીને અપડેટ મેળવી શકે છે. આ કામમાં માત્ર બેથી ત્રણ મિનિટનો સમય લાગે છે.

સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટે 31 માર્ચ 2023ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કુલ 61 કરોડ PANમાંથી લગભગ 48 કરોડ અત્યાર સુધીમાં આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને જેમણે 31 માર્ચ સુધીમાં આવું કરતા નથી તેઓ વ્યવસાય અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ મેળવી શકશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">