AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત

પ્લેટફોર્મે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ ક્લોઝર મેઈલ ફક્ત એવા ગ્રાહકોને જ મોકલવામાં આવ્યો હતો જેમનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો અને જેમને નવા બેક-એન્ડ પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા ન હતા. પૈસાબજારે તેની સાથે કરાર કર્યો છે.

Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત
Mutual Fund (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:48 PM
Share

પોલિસીબજારની (Policybazaar) પેટાકંપની પૈસાબજાર (Paisabazaar) તરફથી મ્યુચ્યુઅલ ફંડમાં  (Mutual Fund) રોકાણ કરનારાઓ માટે ખાસ સમાચાર છે. પૈસાબજારે 16 માર્ચના રોજ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે પ્લેટફોર્મ તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને બંધ કરી દે તેવા અહેવાલો પાયાવિહોણા છે. આ નિવેદન ત્યારે આવ્યું કે જ્યારે તેના કેટલાક ગ્રાહકોને એક મેઈલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ માટેનું તેમનું ખાતું 25 માર્ચથી ટર્મિનેટ કરી દેવામાં આવશે. આનાથી તેના ઉપયોગકર્તાઓમાં શંકા ઊભી થઈ કે શું પ્લેટફોર્મ તેના એમએફ બિઝનેસને બંધ કરી રહ્યું છે. આનાથી તેના રોકાણની ચિંતા થઈ.

પ્લેટફોર્મે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ ક્લોઝર મેઈલ ફક્ત એવા ગ્રાહકોને જ મોકલવામાં આવ્યો હતો જેમનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો અને જેમને નવા બેક-એન્ડ પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા ન હતા. પૈસાબજારે તેની સાથે કરાર કર્યો છે.

યુઝર્સ દ્વારા મળેલા મેઈલમાં એવું કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ માટેનું તમારું પૈસાબજાર ખાતું 25 માર્ચ, 2022થી પ્રભાવિત રૂપથી ટર્મિનેટ કરવામાં આવશે. 25 માર્ચ, 2022 પછી પૈસાબજાર પ્લેટફોર્મ ડાયરેક્ટ સ્કીમ્સમાં તમારા વર્તમાન રોકાણોને રિડીમ કરી શકશો નહીં અથવા તેમાં કોઈ નવું રોકાણ કરી શકશો નહીં.

શું છે સમગ્ર મામલો?

પૈસાબજાર અનુસાર તેઓ તેમના બેક-એન્ડ ઓપરેશનને સુવ્યવસ્થિત કરવા માટે લગભગ બે વર્ષ પહેલા એક્સટર્નલ બેકએન્ડ પ્લેટફોર્મ (એનએસઈ દ્વારા સંચાલિત) પર ચાલ્યા ગયા છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા 99% ગ્રાહકો અને તેમના મેન્ડેટ્સને એસએસઈ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કર્યા છે. આ ગ્રાહકો પૈસાબજાર પ્લેટફોર્મ દ્વારા રોકાણ, એસઆઈપી સેટઅપ, રિડીમ કરવાનું ચાલુ રાખે છે.

તે વધુમાં જણાવે છે કે અમારા પ્લેટફોર્મ પર 478 ગ્રાહકોનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો. તેથી નવા પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા નથી. જેઓને માઈગ્રેટ કરી શક્યા નથી અને જેમને મેઈલ મોકલવામાં આવ્યો હતો તેમના માટે પ્લેટફોર્મ બે વિકલ્પો ઓફર કરે છે. પ્રથમ- ડેટા અપડેટ કરો અને નવા એનએસઈ પ્લેટફોર્મ સાથે કનેક્ટ થાઓ. બીજું- 25 માર્ચ, 2022 પહેલા તમારા મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરો. જો તેઓ વિગતો ચાલુ રાખવા અથવા અપડેટ કરવા માંગતા નથી.

ડાયરેક્ટ પ્લાનમાં હાલની SIP ની કટ-ઓફ તારીખ પછી પ્લેટફોર્મ મારફતે પ્રક્રિયા કરવામાં આવશે નહીં, જ્યારે હાલના રોકાણોને અસર થશે નહીં. પ્લેટફોર્મ પર પુછવામાં આવતા પ્રશ્નો મુજબ, કટ-ઓફ તારીખ પછી ડાયરેક્ટ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ માટે એસઆઈપી ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવા માટેનો બેંક મેન્ડેટ બંધ થઈ જશે.

આ પણ વાંચો :  MONEY9: શું તમને ખબર છે લોન અંગે વારંવાર પુછપરછ કરવાથી પણ તમારો ક્રેડિટ સ્કોર બગડે છે?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">