Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત

પ્લેટફોર્મે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ ક્લોઝર મેઈલ ફક્ત એવા ગ્રાહકોને જ મોકલવામાં આવ્યો હતો જેમનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો અને જેમને નવા બેક-એન્ડ પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા ન હતા. પૈસાબજારે તેની સાથે કરાર કર્યો છે.

Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત
Mutual Fund (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:48 PM

પોલિસીબજારની (Policybazaar) પેટાકંપની પૈસાબજાર (Paisabazaar) તરફથી મ્યુચ્યુઅલ ફંડમાં  (Mutual Fund) રોકાણ કરનારાઓ માટે ખાસ સમાચાર છે. પૈસાબજારે 16 માર્ચના રોજ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે પ્લેટફોર્મ તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને બંધ કરી દે તેવા અહેવાલો પાયાવિહોણા છે. આ નિવેદન ત્યારે આવ્યું કે જ્યારે તેના કેટલાક ગ્રાહકોને એક મેઈલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ માટેનું તેમનું ખાતું 25 માર્ચથી ટર્મિનેટ કરી દેવામાં આવશે. આનાથી તેના ઉપયોગકર્તાઓમાં શંકા ઊભી થઈ કે શું પ્લેટફોર્મ તેના એમએફ બિઝનેસને બંધ કરી રહ્યું છે. આનાથી તેના રોકાણની ચિંતા થઈ.

પ્લેટફોર્મે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ ક્લોઝર મેઈલ ફક્ત એવા ગ્રાહકોને જ મોકલવામાં આવ્યો હતો જેમનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો અને જેમને નવા બેક-એન્ડ પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા ન હતા. પૈસાબજારે તેની સાથે કરાર કર્યો છે.

યુઝર્સ દ્વારા મળેલા મેઈલમાં એવું કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ માટેનું તમારું પૈસાબજાર ખાતું 25 માર્ચ, 2022થી પ્રભાવિત રૂપથી ટર્મિનેટ કરવામાં આવશે. 25 માર્ચ, 2022 પછી પૈસાબજાર પ્લેટફોર્મ ડાયરેક્ટ સ્કીમ્સમાં તમારા વર્તમાન રોકાણોને રિડીમ કરી શકશો નહીં અથવા તેમાં કોઈ નવું રોકાણ કરી શકશો નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું છે સમગ્ર મામલો?

પૈસાબજાર અનુસાર તેઓ તેમના બેક-એન્ડ ઓપરેશનને સુવ્યવસ્થિત કરવા માટે લગભગ બે વર્ષ પહેલા એક્સટર્નલ બેકએન્ડ પ્લેટફોર્મ (એનએસઈ દ્વારા સંચાલિત) પર ચાલ્યા ગયા છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા 99% ગ્રાહકો અને તેમના મેન્ડેટ્સને એસએસઈ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કર્યા છે. આ ગ્રાહકો પૈસાબજાર પ્લેટફોર્મ દ્વારા રોકાણ, એસઆઈપી સેટઅપ, રિડીમ કરવાનું ચાલુ રાખે છે.

તે વધુમાં જણાવે છે કે અમારા પ્લેટફોર્મ પર 478 ગ્રાહકોનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો. તેથી નવા પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા નથી. જેઓને માઈગ્રેટ કરી શક્યા નથી અને જેમને મેઈલ મોકલવામાં આવ્યો હતો તેમના માટે પ્લેટફોર્મ બે વિકલ્પો ઓફર કરે છે. પ્રથમ- ડેટા અપડેટ કરો અને નવા એનએસઈ પ્લેટફોર્મ સાથે કનેક્ટ થાઓ. બીજું- 25 માર્ચ, 2022 પહેલા તમારા મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરો. જો તેઓ વિગતો ચાલુ રાખવા અથવા અપડેટ કરવા માંગતા નથી.

ડાયરેક્ટ પ્લાનમાં હાલની SIP ની કટ-ઓફ તારીખ પછી પ્લેટફોર્મ મારફતે પ્રક્રિયા કરવામાં આવશે નહીં, જ્યારે હાલના રોકાણોને અસર થશે નહીં. પ્લેટફોર્મ પર પુછવામાં આવતા પ્રશ્નો મુજબ, કટ-ઓફ તારીખ પછી ડાયરેક્ટ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ માટે એસઆઈપી ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવા માટેનો બેંક મેન્ડેટ બંધ થઈ જશે.

આ પણ વાંચો :  MONEY9: શું તમને ખબર છે લોન અંગે વારંવાર પુછપરછ કરવાથી પણ તમારો ક્રેડિટ સ્કોર બગડે છે?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">