Income Tax Rules : આજથી બદલાયા આવકવેરા સંબંધિત આ 3 મોટા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સાથે આજે 1 જુલાઈ, 2022થી આવકવેરા (Income Tax) સંબંધિત 3 મોટા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

Income Tax Rules : આજથી બદલાયા આવકવેરા સંબંધિત આ 3 મોટા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 7:49 AM

30 જૂને નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સાથે આજે 1 જુલાઈ, 2022થી આવકવેરા (Income Tax) સંબંધિત 3 મોટા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) આજે 1 જુલાઈથી લાગુ થયેલા આ ત્રણ નિયમો અંગે 2022-23ના બજેટમાં જાહેરાત કરી હતી. 3 નિયમોમાંથી એક એવો છે જે દેશના દરેક સામાન્ય માણસને અસર કરશે જ્યારે બીજો નિયમ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા લોકોને અસર કરશે. ત્રીજો નિયમ ડોકટરો અને સોશિયલ મીડિયા પ્રભાવકો માટે છે. જાણો આજથી અમલમાં આવનારા ત્રણ નિયમો વિશે જેની સીધી અસર સામાન્ય માણસ તેમજ ક્રિપ્ટો રોકાણકારો, ડૉક્ટરો અને સોશિયલ મીડિયા પ્રભાવકો પર પડશે.

પાન-આધાર લિંક કરવામાં વિલંબ પર ડબલ દંડ ભરવો પડશે

નિયમો અનુસાર, PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2022 હતી. જે વ્યક્તિએ 30 જૂન સુધી પોતાનું PAN અને આધાર લિંક નથી કરવાયું તેને 500 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેનો સીધો અર્થ એ છે કે તમારી પાસે PAN અને આધારને લિંક કરવા માટે આજથી વધુ ખર્ચ થશે. જો તમે આજે તમારા PAN અને આધારને લિંક નથી કરાવતા તો આજે 1 જુલાઈ 2022થી તમારે બમણો દંડ ભરવો પડશે.

ક્રિપ્ટોકરન્સી વ્યવહારો પર 1%નો વધારાનો TDS કાપવામાં આવશે

ભારત સરકારે 1 એપ્રિલ, 2022થી ક્રિપ્ટોકરન્સી વ્યવહારો પર 30 ટકા આવકવેરાનો નિયમ લાગુ કર્યો હતો. પરંતુ સરકાર 1 જુલાઈથી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરનારા રોકાણકારોને નવું ટેન્શન આપવા જઈ રહી છે. હા, સરકાર 1 જુલાઈથી ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર 1 ટકા વધારાના TDSનો નિયમ લાગુ કરવા જઈ રહી છે. અહીં નોંધનીય બાબત એ છે કે TDS બધા માટે કાપવામાં આવશે પછી તે ક્રિપ્ટોમાં વ્યવહાર કરનારાઓ માટે નફો હોય કે નુકસાન. જો કે, જેઓ ક્રિપ્ટો વ્યવહારોમાં નુકસાન સહન કરે છે તેઓ રિફંડનો દાવો કરી શકશે. નિષ્ણાતો ક્રિપ્ટોકરન્સીમાં વેપાર કરતા રોકાણકારોને સલાહ આપે છે કે જો તેઓ આ દુનિયામાં પ્રવેશ કરે તો તેઓએ વિલંબ કર્યા વિના ITR ફાઇલ કરવી જોઈએ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એક વર્ષમાં 20 હજારથી વધુના લાભ પર 10% TDS કાપવામાં આવશે

સંસદમાં 2022-23નું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાને આવકવેરા અધિનિયમ 1961માં કલમ 194R રજૂ કરી હતી. આવકવેરાના નિયમોમાં આ સંપૂર્ણપણે નવો નિયમ છે, જે અંતર્ગત ડોક્ટરો અને સોશિયલ મીડિયા પ્રભાવકોને મળતા લાભો પર 10 ટકા TDS ચૂકવવો પડશે. જો કે, આ નિયમ ફક્ત તે ડોક્ટરો અને સોશિયલ મીડિયા પ્રભાવકોને લાગુ પડશે, જેનો વાર્ષિક નફો 20 હજાર રૂપિયાથી વધુ હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">