IT REFUND : 1.74 કરોડ કરતાં વધુ કરદાતાઓના ખાતામાં જમા થયું રિફંડ, આ રીતે તપાસો તમારા ખાતાનું સ્ટેટ્સ

છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા.

IT REFUND : 1.74 કરોડ કરતાં વધુ કરદાતાઓના ખાતામાં જમા થયું રિફંડ, આ રીતે તપાસો તમારા ખાતાનું સ્ટેટ્સ
symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 8:43 AM

આવકવેરા વિભાગે (Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ (2021-22)માં 17 જાન્યુઆરી 2022 સુધી 1.74 કરોડ કરતાં વધુ કરદાતાઓને 1,59,192 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે. આમ રૂ. 56,765 કરોડ રિફંડ વ્યક્તિગત હતું જ્યારે કોર્પોરેટ ટેક્સ રિફંડ રૂ. 1,02,42 કરોડ અપાયું હતું.

આવકવેરા વિભાગે ટ્વીટ કરી જણાવ્યું હતું કે , “CBDT એ 1 એપ્રિલ, 2021 અને 17 જાન્યુઆરી, 2022 વચ્ચે 1.74 કરોડ કરતાં વધુ કરદાતાઓને રૂ. 1,59,192 કરોડથી વધુની ચુકવણી કરી છે. 1,72,01,502 મામલાઓમાં રૂ. 56,765 કરોડનું ઇન્કમટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે. 2,22,774 કેસમાં રૂ. 1,02,428 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે.”

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અન્ય એક ટ્વિટમાં, વિભાગે કહ્યું કે આમાં AY 2020-21 (31 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ) માટે 1.36 કરોડ રિફંડનો સમાવેશ થાય છે જે 26,372.83 કરોડ રૂપિયા છે. નોંધપાત્ર રીતે, છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. જે નાણાકીય વર્ષ 2019-20માં જાહેર કરાયેલા રૂ 1.83 લાખ કરોડના રિફંડ કરતાં 43.2 ટકા વધુ છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો

  • સૌથી પહેલા વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ.
  • યુઝર આઈડી અને પાસવર્ડ નાખો.
  • લોગ ઈન કર્યા પછી તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ દેખાશે.
  • હવે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો
  • આગળ View File Return પર ક્લિક કરો.
  • હવે તમારા ITRની વિગતો દેખાશે.

રિફંડ ક્યારે મળે છે ?

કેટલા દિવસમાં રિફંડ મળશે તમારા આવકવેરા રિટર્નની ઈ-વેરિફિકેશનની તારીખથી તમારું રિફંડ જમા થવામાં સામાન્ય રીતે 20-60 દિવસ લાગે છે. જો કે, જો તમે CPC બેંગલોરને ITR-V મોકલીને વેરિફિકેશન કરાવવા માંગતા હો, તો તેમાં થોડો વધુ સમય લાગી શકે છે.

ઘણી વખત એવું પણ બને છે કે તમે ITR રિફંડ મેળવવા માટે હકદાર છો પરંતુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી પણ તે મળ્યું નથી. તેના કેટલાક ખાસ નિયમો પણ છે જે જાણવું જરૂરી છે. જો તમે નિયમોનું યોગ્ય રીતે પાલન કરો છો, બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો છો, તો તમને ચોક્કસપણે ટેક્સ રિફંડ મળશે. તેમાં થોડો વિલંબ થઈ શકે છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ વતી રિફંડની પ્રક્રિયા ટેક્સ ફાઇલર દ્વારા રિટર્નની ઇ-વેરિફાઇ કર્યા પછી જ શરૂ થાય છે.

જો રિફંડ ન મળે તો મેઇલ તપાસો સામાન્ય રીતે, તમારા એકાઉન્ટમાં રિફંડ જમા થવામાં 25-60 દિવસ લાગે છે. જો કે, જો તમને આ સમયગાળા દરમિયાન તમારું રિફંડ મળ્યું નથી, તો તમારે તમારા ITRમાં વિસંગતતાઓ તપાસવી જોઈએ. ટેક્સ રિફંડ સંબંધિત IT વિભાગની કોઈપણ માહિતી માટે તમારે તમારો ઈમેલ તપાસવો આવશ્યક છે. આ માહિતી માત્ર ઈમેલ દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે તમારા વાહનના ઇંધણનો શું છે રેટ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : TATA Group ના શેરે એક વર્ષમાં રોકાણકારોના નાણાં બનાવ્યા ત્રણ ગણાં, સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરતો સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">