જો તમે પણ બિઝનેસ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓ થશે મદદરૂપ
બિઝનેસ કરવા માટે ઘણી યોજનાઓ લોકોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. જો કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તો કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ છે જેના હેઠળ લોન આપવામાં આવે છે. જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે પણ આ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો.

કેન્દ્ર સરકાર નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાં અલગ-અલગ લોકો માટે અલગ-અલગ સ્કીમ ચાલી રહી છે. લોકોને તેમની જરૂરિયાત મુજબ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. ઘણી યોજનાઓ લોકોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તો કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ છે જેના હેઠળ લોન આપવામાં આવે છે. જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે પણ આ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના હેઠળ બિન-કોર્પોરેટ, બિન-કૃષિ, નાના ઉદ્યોગો માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ છે. આ લોનની 3 કેટેગરી છે. જેમાં શિશુ, કિશોર અને તરુણનો સમાવેશ થાય છે. શિશુ લોન રૂ.50,000 સુધીની છે. કિશોર લોન રૂ. 50,000 થી રૂ. 5 લાખ સુધીની છે. તો તરુણને રૂ.5 લાખથી રૂ.10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની સત્તાવાર વેબસાઇટ www.udyamimitra.in પર જઈને અરજી કરી શકાય છે.
MSME લોન
સરકારની MSME લોન યોજના હેઠળ કોઈપણ નવા અથવા પહેલાથી ચાલી રહેલા વ્યવસાય માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. જેથી ધંધો યોગ્ય રીતે ચલાવી શકાય. MSME લોન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે. આ લોનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 8 થી 12 દિવસનો સમય લાગે છે. MSME લોન દેશની તમામ સરકારી અને ખાનગી બેંકો તેમજ નોન-બેંકિંગ સંસ્થાઓ એટલે કે NBFC કંપનીઓ દ્વારા આપી શકાય છે.
સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના
મહિલાઓ અને એસસી-એસટી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના લાવવામાં આવી છે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તે પણ કોઈપણ કોલેટરલ વિના આ લોન 7 વર્ષના પુન:ચુકવણી શેડ્યૂલ હેઠળ ઉપલબ્ધ છે. તેની મોરેટોરિયમ અવધિ 18 મહિના સુધી લંબાવી શકાય છે. આ સ્કીમ હેઠળ બિઝનેસ શરૂ કર્યા બાદ 3 વર્ષ સુધી ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. આ પછી બેઝ રેટના આધારે ત્રણ ટકા વ્યાજ વસૂલવામાં આવે છે.
ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ
વડાપ્રધાન મોદી ઘણી વખત સ્ટાર્ટ-અપ સાહસિકોને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. આ અંતર્ગત તેમણે ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ પણ શરૂ કરી છે. જે અંતર્ગત સ્ટાર્ટઅપ કંપનીઓને 5 કરોડ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે. આ યોજનામાં જે પણ રકમ મળે છે, તેના પર માત્ર 0.37 ટકા પ્રતિ વર્ષ ગેરંટી ફી લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અગાઉ દર વર્ષે 2 ટકા ગેરંટી ફી લેવામાં આવતી હતી.
