AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Prediction: ના હોય! શેરબજારમાં કડાકો, ચાંદી 6 લાખને પાર અને AI નોકરીઓ ખતમ કરશે…. શું ખરેખર આ વાત સાચી પડશે?

સોશિયલ મીડિયામાં હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં શેરબજારમાં કડાકો આવશે, ચાંદી 6 લાખે પહોંચશે અને AI નોકરીઓ ખતમ કરવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે.

Big Prediction: ના હોય! શેરબજારમાં કડાકો, ચાંદી 6 લાખને પાર અને AI નોકરીઓ ખતમ કરશે.... શું ખરેખર આ વાત સાચી પડશે?
Image Credit source: AI Generated
| Updated on: Nov 25, 2025 | 8:32 PM
Share

“રિચ ડેડ પુઅર ડેડ” ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર પોતાના નિવેદનથી હંગામો મચાવી દીધો છે. શેરબજારમાં કડાકો અને ધનવાન બનવા માટે ક્યાં રોકાણ કરવું, તે અંગેની તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક ટ્વિટમાં તેમણે જણાવ્યું કે, વિશ્વભરના ઇક્વિટી બજારોમાં કડાકો શરૂ થઈ ગયો છે. વધુમાં, બીજા રિસ્કી એસેટ ક્લાસમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.

રોબર્ટ કિયોસાકીના મતે ઇતિહાસનો સૌથી મોટો કડાકો ફક્ત અમેરિકા અને યુરોપ પૂરતો મર્યાદિત રહેશે નહીં. તેમનું માનવું છે કે, તેની અસર એશિયન શેરબજાર પર પણ પડશે. રોબર્ટ કિયોસાકીના મતે, AI નોકરીઓ ખતમ કરી દેશે. તેમનું માનવું છે કે, જ્યારે નોકરીઓ નહીં રહે, ત્યારે ઓફિસો અને રિયલ એસ્ટેટ સૌથી વધુ પ્રભાવિત થશે.

રોબર્ટ કિયોસાકીના મતે, આ પરિસ્થિતિમાં સોનું અને ચાંદી રોકાણ માટે એક સલામત વિકલ્પ રહેશે. તેમનું માનવું છે કે, આ સમયગાળામાં ક્રિપ્ટો (બિટકોઇન અને ઇથેરિયમ) પણ સલામત વિકલ્પ રહેશે.

વર્ષ 2026 માં ચાંદી $200 સુધી પહોંચશે

રોબર્ટ કિયોસાકીના મતે, આ ઘટાડાના સમયગાળા દરમિયાન ચાંદી એક ઉત્તમ રોકાણ સાબિત થઈ શકે છે. તેમના મતે, આ વર્ષે ચાંદી $70 ને પાર જઈ શકે છે. જો આપણે ડોલર અને રૂપિયાના સંદર્ભમાં ચાંદીના ભાવ જોઈએ, તો તે ભારતમાં 2.20 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આવતા વર્ષે એટલે કે 2026 માં ચાંદી $200 સુધી પહોંચી શકે છે. જો રૂપિયાના સંદર્ભમાં જોવામાં આવે તો, તે 6 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

હાલમાં, ચાંદીનો ભાવ $50 છે, એટલે કે ભારતમાં લગભગ 1.5 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં, જો ચાંદી $200 સુધી પહોંચે છે, તો તે ભારતમાં પ્રતિ કિલોગ્રામ 6 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમના મતે, ચાંદી આ સમયે સૌથી સલામત અને શ્રેષ્ઠ રોકાણ છે.

ધનવાન બનવાની સારી તક: રોબર્ટ કિયોસાકી

રોબર્ટ કિયોસાકીના મતે, જેઓ આ મંદી માટે સમયસર રીતે તૈયારી કરી રહ્યા છે, તેઓ પાસે ધનવાન બનવાની સારી તક છે. વર્ષ 2013 માં તેમના પુસ્તક Rich Dad’s Prophecy માં રોબર્ટ કિયોસાકીએ એક મોટા વૈશ્વિક ક્રેશ વિશે લખ્યું હતું. તેમના મતે, આ કટોકટી ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ સુધી મર્યાદિત નથી પરંતુ યુરોપ અને એશિયામાં પણ દેખાય છે.

આ પણ વાંચો: શું ખરેખરમાં રિઝર્વ બેંક 5,000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ દાવો સાચો કે ખોટો?

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">