AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hinduja Group: માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલુ છે હિન્દુજા ગ્રુપનું સામ્રાજ્ય, જાણો કેવી રીતે થઈ હતી ગ્રુપની શરૂઆત

Hinduja Group: હિન્દુજા ગ્રુપનું હેડક્વાર્ટર 1919થી 1979 (60 વર્ષ) સુધી ઈરાનમાં રહ્યું. જે બાદ ગ્રુપે તેનું હેડક્વાર્ટર લંડનમાં શિફ્ટ કર્યું. વિશ્વભરમાં હિન્દુજા ગ્રુપ સાથે 2 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે.

Hinduja Group: માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલુ છે હિન્દુજા ગ્રુપનું સામ્રાજ્ય, જાણો કેવી રીતે થઈ હતી ગ્રુપની શરૂઆત
Hinduja brothers
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 8:43 PM
Share

Hinduja Group: હિન્દુજા ગ્રૂપના (Hinduja Group) ચેરમેન એસ. પી. હિન્દુજાનું (SP Hinduja) 87 વર્ષની વયે લંડનમાં નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા એસ. પી. હિન્દુજાએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા. હિન્દુજા ગ્રુપને સંભાળતા 4 ભાઈઓમાં તેઓ સૌથી મોટા હતા. હિન્દુજા પરિવારના પ્રવક્તાએ તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

આજે અમે તમને હિન્દુજા ગ્રુપ વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. હા, ભારતની આ કંપનીની સ્થાપના વર્ષ 1914માં પરમાનંદ દીપચંદ હિન્દુજાએ કરી હતી.

આ પણ વાંચો: Breaking News: SP Hinduja Death: Ashok Leylandના ચેરમેન એસ.પી. હિંદુજાનું 87 વર્ષની વયે નિધન, લંડનમાં લીધા અંતિમ શ્વાસ

100થી વધુ દેશોમાં ચાલી રહ્યો છે ગ્રૂપનો બિઝનેસ

પરમાનંદ દીપચંદ હિન્દુજાનો જન્મ પાકિસ્તાનના સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં થયો હતો. હિન્દુજા ગ્રુપે વર્ષ 1919માં ઈરાનની મદદથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં, હિન્દુજા ગ્રુપ વિશ્વના સૌથી મોટા વૈવિધ્યસભર ગ્રુપમાંનું એક છે.

કંપનીનો બિઝનેસ 11 સેક્ટરમાં છે અને તેમાં અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ બેન્ક જેવા મોટા નામો પણ સામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુજા ગ્રુપ દુનિયાના 100થી વધુ દેશોમાં બિઝનેસ કરે છે અને લગભગ 38 દેશોમાં તેની ઓફિસો છે. હિન્દુજા ગ્રુપની ડઝનબંધ કંપનીઓ છે, જેમાંથી 6 કંપનીઓ માત્ર ભારતમાં જ લિસ્ટેડ છે.

ગ્રુપનું હેડક્વાર્ટર 60 વર્ષ સુધી ઈરાનમાં રહ્યું

જેમ કે અમે તમને હમણાં જણાવ્યું કે હિંદુજા ગ્રુપે ઈરાનની મદદથી જ ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો, તેથી ગ્રુપનું હેડક્વાર્ટર 1919થી 1979 (60 વર્ષ) સુધી ઈરાનમાં રહ્યું. જે બાદ ગ્રુપે તેનું હેડક્વાર્ટર લંડનમાં શિફ્ટ કર્યું. વિશ્વભરમાં હિન્દુજા ગ્રુપ સાથે 2 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે.

ગ્રુપના સમગ્ર બિઝનેસમાંથી માત્ર 20 ટકા ભારતમાં છે જ્યારે તેમનો 80 ટકા બિઝનેસ વિદેશમાં ચાલે છે. વર્ષ 2020-21માં હિન્દુજા ગ્રુપે 7.45 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ જૂથ ટ્રક મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ, કેમિકલ્સ, પાવર, મીડિયા અને હેલ્થકેર સેક્ટરમાં સક્રિય છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">