Gujarat Gas Q4 Results : નફામાં ઘટાડા છતાં ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે

Gujarat Gas Q4 Results : ગુજરાત ગેસના સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો એક સપ્તાહમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ મહિનામાં 3.63 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 4.79 ટકાનો ઘટાડો થયો છે. તેણે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે.

Gujarat Gas Q4 Results : નફામાં ઘટાડા છતાં ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 8:33 AM

Gujarat Gas Q4 Results : ગુજરાત ગેસે (Gujarat Gas Ltd)ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 369.2 કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જોકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ 333 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. બુધવારે શેર 0.78 ટકાના ઘટાડા સાથે રૂ.463 પર બંધ રહ્યો હતો. તે રૂ. 31862 કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. 52 સપ્તાહનો સૌથી વધુ રૂ.584 અને સૌથી ઓછો રૂ.403 છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે.

ગુજરાત ગેસ દ્વારા ડિવિડન્ડ જાહેર કરાયું

BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર કંપનીએ 2 રૂપિયાની ફેસ વેલ્યુના આધારે 333 ટકા એટલે કે 6.65 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે. હજુ સુધી રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટ વિશે કોઈ માહિતી નથી. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે આ બીજું અને છેલ્લું ડિવિડન્ડ આપ્યું છે. અગાઉ ઓગસ્ટ 2022 માં કંપનીએ 100 ટકા એટલે કે પ્રતિ શેર 2 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ગુજરાત ગેસ Q4 પરિણામ

Q4 માં ગુજરાત ગેસની કામગીરી વિશે વાત કરીએ તો, ત્રિમાસિક ધોરણે નફો અડધા ટકાના ઘટાડા સાથે રૂ. 369.2 કરોડ રહ્યો હતો. આવક 6.6 ટકા વધીને રૂ. 3928.6 કરોડ થઈ છે. EBITDA 3.8 ટકા ઘટીને રૂ. 560.4 કરોડ થયો છે. માર્જિનમાં 140 બેસિસ પોઈન્ટ્સનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે 14.3 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો : Share Market Today: ઉતાર-ચઢાવ વચ્ચે Sensexમાં 179 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, નિફ્ટી 18,300ની ઉપર બંધ

ગુજરાત ગેસ  અંગે નિષ્ણાતનો અભિપ્રાય

ગુજરાત ગેસના સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો એક સપ્તાહમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ મહિનામાં 3.63 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 4.79 ટકાનો ઘટાડો થયો છે. તેણે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે ગયા અઠવાડિયે આ શેરને પકડી રાખવાની સલાહ આપી છે અને રૂપિયા 450નો ટાર્ગેટ આપ્યો છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">