AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સરકારનું મોટું નિવેદન, જાણો ક્યારે થશે સસ્તું?

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બે વર્ષથી સ્થિર છે. એપ્રિલ 2022થી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે સરકારે મે 2022માં ટેક્સમાં ઘટાડો કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે સરકારે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચાલો તમને પણ જણાવીએ...

ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સરકારનું મોટું નિવેદન, જાણો ક્યારે થશે સસ્તું?
| Updated on: Mar 09, 2024 | 8:56 PM
Share

સરકારે તાજેતરમાં 6 મહિનામાં બીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. જે બાદ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 36 મહિનામાં સૌથી ઓછી છે. અને 30 મહિના પછી તે ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે દેશના સામાન્ય લોકો સસ્તા પેટ્રોલ અને ડીઝલની રાહ જોઈ રહ્યા છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બે વર્ષથી સ્થિર છે. એપ્રિલ 2022થી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે સરકારે મે 2022માં ટેક્સમાં ઘટાડો કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે સરકારે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ત્યારે આ મામલે દેશના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આવો તમને એ પણ જણાવીએ કે પેટ્રોલિયમ મંત્રીએ સસ્તા પેટ્રોલ અને ડીઝલ પર શું જવાબ આપ્યો છે.

અત્યારે સ્થિતિ સારી નથી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહે શનિવારે જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ડીઝલના વેચાણ પર અંડર-રિકવરી ચાલુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવની સ્થિરતા પર નિર્ભર રહેશે.

તેમણે કહ્યું કે હું એટલું જ કહીશ કે બહારની દુનિયામાં સ્થિતિ સ્થિર થવા દો, તેલના ભાવને સ્થિર થવા દો, પછી આ (પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો) જોઈ શકાશે. પરંતુ તેમણે લાલ સમુદ્રમાં ચાલી રહેલા તણાવની પણ નોંધ લીધી હતી. પશ્ચિમ એશિયાને ટાંકીને તેમણે કહ્યું કે હાલમાં ત્યાં હુમલાઓ ચાલુ છે. જેના કારણે ઇન્સ્યોરન્સ અને માલના ફેરફારના ભાવમાં વધારો થયો છે. જેના કારણે એનર્જી માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે.

બે વાર ટેક્સમાં કાપ

તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે નવેમ્બર 2021 અને મે 2022માં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને 2021થી બે વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 13 રૂપિયા અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે બંને પ્રસંગોએ ટેક્સમાં કાપને કારણે કેન્દ્રને લગભગ 2.2 લાખ કરોડ રૂપિયાની આવકનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, ઉત્પાદન ઘટવા છતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો નથી. આનો અર્થ એ છે કે વૈશ્વિક તેલ બજાર તેને શોષી રહ્યું છે. શુક્રવારે ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઈલ 82.08 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું, જે અગાઉના બંધ કરતા 1.06 ટકા ઓછું છે.

ઘરેલું ગેસ સિલિન્ડર સસ્તો થયો

સરકારે શનિવારથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ પગલું ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા લેવામાં આવ્યું છે. આ અંગે હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ગઈકાલે કેબિનેટની બેઠક દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે એલપીજી સિલિન્ડર સબસિડી, જે 31 માર્ચે સમાપ્ત થવાની હતી, તેને 2024-25 સુધી લંબાવવામાં આવશે. ગઈકાલે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, પીએમ મોદીએ એલપીજી સિલિન્ડરની કિંમત 100 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી.

પુરીએ વધુમાં કહ્યું કે સપ્ટેમ્બર 2021થી સપ્ટેમ્બર 2023 સુધીમાં દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં 4.56 ટકાનો ઘટાડો થયો છે. સિલિન્ડરની ઉપલબ્ધતા અંગે ક્યાંય કોઈ સમસ્યા નહોતી. જ્યારે ઉત્તર પૂર્વમાં પૂર આવ્યું ત્યારે અમારા કાર્યકરોએ વ્યક્તિગત રીતે સિલિન્ડર પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો: આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ

g clip-path="url(#clip0_868_265)">