AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : હવે 42% મોંઘવારી ભથ્થું મળશે, પેંશનરોને પણ વધારાનો લાભ મળશે

મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે, તેને વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : હવે 42% મોંઘવારી ભથ્થું મળશે, પેંશનરોને પણ વધારાનો લાભ મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 6:27 AM
Share

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 42%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તે માર્ચના પગાર સાથે ચૂકવવામાં આવશે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4%નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મોંઘવારી ભથ્થાના વધેલા દરો જાન્યુઆરી 2023થી લાગુ થશે. કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે.

CCEAની બેઠકમાં લેવાયો નિર્ણય

શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આજે કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું હવે વધીને કુલ 42% થઈ ગયું છે.

વધારો જાન્યુઆરી 2023 થી લાગુ પડશે

AICPI-IW ડેટાના આધારે કર્મચારીઓને મોંઘવારી ગણીને ભથ્થું આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરી માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે. જાન્યુઆરીથી જ તેનો અમલ કરવામાં આવશે. જાન્યુઆરી પહેલા મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે મળતું હતું. માર્ચમાં તેની જાહેરાતને કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સ પણ આપવામાં આવશે.

માર્ચના પગારમાં લાભ મળશે

મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે, તેને વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.

બે મહિનાનું DA એરિયર્સ

જ્યારે નાણા મંત્રાલય મોંઘવારી ભથ્થામાં વધારાની સૂચના આપે છે, ત્યારે ચુકવણી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે તે માર્ચના પગારમાં ચૂકવવામાં આવશે. પરંતુ, 4% ના વધારા સાથે, મોંઘવારી ભથ્થું (DA) જાન્યુઆરી 2023 થી લાગુ ગણવામાં આવશે. આ સ્થિતિમાં કર્મચારીઓને 2 મહિનાનું ડીએ એરિયર મળશે. પે બેન્ડ 3 માં કુલ વધારો દર મહિને 720 રૂપિયા થવાનો છે. એટલે કે તેમને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે 720X2=1440 રૂપિયાનું એરિયર્સ પણ મળશે. આ વધારો મૂળ પગાર પર હશે.

લેબર બ્યુરો દર મહિને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી કરે છે. આ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)ના આધારે ગણતરી કરવામાં આવે છે. લેબર બ્યુરો એ શ્રમ મંત્રાલયનો ભાગ છે. ગયા વર્ષે જુલાઈ 2022માં 4%નો ડીએ વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર 4% વધારો કરવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર કરાયેલા CPI-IW ડેટા પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં 4.23%નો વધારો થશે. પરંતુ, તે રાઉન્ડ ફિગરમાં કરવામાં આવે છે, તેથી તે 4% છે.

પેન્શનરોને  પણ ફાયદો મળશે

7મા પગારપંચ હેઠળ સરકારે દેશના લાખો પેન્શનધારકોને ભેટ પણ આપી છે. ડીએ વધારાની સાથે, મોંઘવારી રાહત  પણ 4% વધી છે. એટલે કે પેન્શનરોને પણ 42%ના દરે મોંઘવારી રાહત આપવામાં આવશે. એકંદરે, મોદી સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોના પૈસામાં વધારો કર્યો છે.

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">