AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : હવે 42% મોંઘવારી ભથ્થું મળશે, પેંશનરોને પણ વધારાનો લાભ મળશે

મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે, તેને વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : હવે 42% મોંઘવારી ભથ્થું મળશે, પેંશનરોને પણ વધારાનો લાભ મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 6:27 AM
Share

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 42%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તે માર્ચના પગાર સાથે ચૂકવવામાં આવશે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4%નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મોંઘવારી ભથ્થાના વધેલા દરો જાન્યુઆરી 2023થી લાગુ થશે. કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે.

CCEAની બેઠકમાં લેવાયો નિર્ણય

શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આજે કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું હવે વધીને કુલ 42% થઈ ગયું છે.

વધારો જાન્યુઆરી 2023 થી લાગુ પડશે

AICPI-IW ડેટાના આધારે કર્મચારીઓને મોંઘવારી ગણીને ભથ્થું આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરી માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે. જાન્યુઆરીથી જ તેનો અમલ કરવામાં આવશે. જાન્યુઆરી પહેલા મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે મળતું હતું. માર્ચમાં તેની જાહેરાતને કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સ પણ આપવામાં આવશે.

માર્ચના પગારમાં લાભ મળશે

મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે, તેને વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.

બે મહિનાનું DA એરિયર્સ

જ્યારે નાણા મંત્રાલય મોંઘવારી ભથ્થામાં વધારાની સૂચના આપે છે, ત્યારે ચુકવણી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે તે માર્ચના પગારમાં ચૂકવવામાં આવશે. પરંતુ, 4% ના વધારા સાથે, મોંઘવારી ભથ્થું (DA) જાન્યુઆરી 2023 થી લાગુ ગણવામાં આવશે. આ સ્થિતિમાં કર્મચારીઓને 2 મહિનાનું ડીએ એરિયર મળશે. પે બેન્ડ 3 માં કુલ વધારો દર મહિને 720 રૂપિયા થવાનો છે. એટલે કે તેમને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે 720X2=1440 રૂપિયાનું એરિયર્સ પણ મળશે. આ વધારો મૂળ પગાર પર હશે.

લેબર બ્યુરો દર મહિને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી કરે છે. આ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)ના આધારે ગણતરી કરવામાં આવે છે. લેબર બ્યુરો એ શ્રમ મંત્રાલયનો ભાગ છે. ગયા વર્ષે જુલાઈ 2022માં 4%નો ડીએ વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર 4% વધારો કરવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર કરાયેલા CPI-IW ડેટા પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં 4.23%નો વધારો થશે. પરંતુ, તે રાઉન્ડ ફિગરમાં કરવામાં આવે છે, તેથી તે 4% છે.

પેન્શનરોને  પણ ફાયદો મળશે

7મા પગારપંચ હેઠળ સરકારે દેશના લાખો પેન્શનધારકોને ભેટ પણ આપી છે. ડીએ વધારાની સાથે, મોંઘવારી રાહત  પણ 4% વધી છે. એટલે કે પેન્શનરોને પણ 42%ના દરે મોંઘવારી રાહત આપવામાં આવશે. એકંદરે, મોદી સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોના પૈસામાં વધારો કર્યો છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">