AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટો નિર્ણય- દેશની મોટી સરકારી કંપનીઓએ ઘટાડ્યા વ્યાજ દર, શું થશે સામાન્ય વ્યક્તિ પર અસર

દેશની બે સૌથી મોટી સરકારી કંપનીઓ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને REC લિમિટેડે લોનના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

મોટો નિર્ણય- દેશની મોટી સરકારી કંપનીઓએ ઘટાડ્યા વ્યાજ દર, શું થશે સામાન્ય વ્યક્તિ પર અસર
Know about REC and PFC today.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:18 PM
Share

કેન્દ્ર સરકારની માલિકીની બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC- Power Finance Corporation Limited) અને REC લિમિટેડ (REC-Rural Electrification Corporation Limited) એ તમામ પ્રકારની લોન પરના વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે. કંપનીઓએ એક્સચેન્જને જણાવ્યું કે વ્યાજ દરો ઘટાડીને 0.40 ટકા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંઘે બંને કંપનીઓ દ્વારા લોનના દર ઘટાડવા અને સ્પર્ધાત્મક રહેવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. છેલ્લા લગભગ એક વર્ષમાં આ બંને કંપનીઓએ લોનના દરમાં 3 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

નવા વ્યાજ દરો

નવીનીકરણીય ઉર્જાના પ્રમોશન માટે લાંબા ગાળાના ભંડોળની જરૂર હોવાથી, આ દરોને સુધારીને 8.25 ટકા કરવામાં આવ્યા છે. આ સંસ્થાઓ દ્વારા છેલ્લા એક-બે વર્ષમાં ઋણની ઓછી કિંમતને કારણે દરમાં ઘટાડો શક્ય બન્યો છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને REC લિમિટેડ પહેલેથી જ 6.25% ના લઘુત્તમ વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન ઓફર કરી રહી છે.

આની શું અસર થશે

આર.કે સિંઘ કહે છે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઈસી લિમિટેડ દ્વારા લોનના દરોમાં સતત ઘટાડો ઊર્જા યુટિલિટીઝને સ્પર્ધાત્મક દરે ઋણ લેવામાં અને પાવર સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં રોકાણ કરવામાં મદદ કરશે, જેના કારણે ગ્રાહકોને વિશ્વસનીય અને સસ્તી વીજળીનો લાભ મળશે.

PFC-પાવર ફાયનાન્સ કોર્પોરેશન લિમિટેડ શું કરે છે ?

PFC ની રચના 1986 માં થઈ હતી. તે દેશમાં પાવર સેક્ટરને પ્રોત્સાહન આપે છે. તે તેનાથી સંબંધિત કંપનીઓને લોન આપવાનું કામ કરે છે. આ કંપનીને મહારત્નનો દરજ્જો મળ્યો છે.

REC- રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ શું કરે છે ?

REC દેશના ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પૂરી પાડવામાં મદદ કરે છે. આ એક સરકારી કંપની છે. આ કંપની દેશના પાવર મંત્રાલય હેઠળ આવે છે. આ કંપનીને નવરત્નનો દરજ્જો મળ્યો છે. આ કંપનીનો ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે. તે રાજ્ય વીજળી બોર્ડ, રાજ્ય સરકારોના વીજળી વિભાગો અને સહકારી મંડળીઓને તેમના ગ્રામીણ વિદ્યુતીકરણ માટે નાણાં પૂરા પાડે છે.

આ પણ વાંચો :  Maharashtra Nagar Panchayat Result: મહારાષ્ટ્રમાં આઘાડી જોરમાં, નાના પટોલેએ પીએમ મોદી પર જ્યા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ ત્યાં કોને મળી કમાન ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">