ટ્રેડ ડિલના પગલે અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડતા, જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ચમકી ઉઠશે
જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી વેપારીઓું કહેવું છે કે, સોનાના 9 અને 14 કેરેટના દાગીના અમેરિકામાં એક્સપોર્ટ થતા હતા. આ સાથેસાથે જ ડાયમંડ મુખ્ય અમેરિકા માર્કેટ હતું. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ કહેવું છે કે હજી પણ ટેરિફ ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે.
અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડિલ થવાની સાથે અમેરિકાએ લાદેલ ટેરિફનો દર ઘટાડ્યા બાદ જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ફરી ધમધમતો થશે. અમેરિકાએ ભારત ઉપર ટેરીફ ડ્યુટી વધારતા જ, ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાયને ભારે અસર થવા પામી હતી. કેટલાક ઉદ્યોગ તો બંધ થઈ ગયો હતો. દોઢ વર્ષ પછી ફરી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ શરૂ થાય તેવી શક્યતા હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહ્યાં છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી વેપારીઓું કહેવું છે કે, સોનાના 9 અને 14 કેરેટના દાગીના અમેરિકામાં એક્સપોર્ટ થતા હતા. આ સાથેસાથે જ ડાયમંડ મુખ્ય અમેરિકા માર્કેટ હતું. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ કહેવું છે કે હજી પણ ટેરિફ ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે.
અમેરિકા દોઢ વર્ષ પહેલા ટેરિફ વધારવાના કારણે ભારતને યુરોપના દેશમાં સોનાના દાગીના વેચાણ શરૂ થયું હતું. હાલ સ્પેન અને યુરોપ, બ્રિટનમાં દાગીનાનું વેચાણ શરૂ થયું છે. જે અમેરિકા સિવાયના વૈશ્વિક માર્કેટ તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ આ ક્ષેત્રે વિશ્વના અન્ય દેશની સાથે સ્પર્ધા પણ એટલી જ છે.