Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GAUTAM ADANI એ તેમની બે કંપનીઓ વેચી દીધી, હવે આ કંપનીઓમાં માત્ર 10% હિસ્સેદારી રહી

ગૌતમ અદાણી(Gautam Adani) પર હિંડનબર્ગ(Hindenburg)નું ભૂત હાર માની રહ્યું નથી. હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી(Adani Group)ને ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં અદાણી ગ્રુપની બે કંપનીઓ વેચાઈ છે.

GAUTAM ADANI એ તેમની બે કંપનીઓ વેચી દીધી, હવે આ કંપનીઓમાં માત્ર 10% હિસ્સેદારી રહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:54 AM

ગૌતમ અદાણી(Gautam Adani) પર હિંડનબર્ગ(Hindenburg)નું ભૂત હાર માની રહ્યું નથી. હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી(Adani Group)ને ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં અદાણી ગ્રુપની બે કંપનીઓ વેચાઈ છે. વિદેશી ઇક્વિટી ફર્મ બેઈન કેપિટલે અદાણી ગ્રૂપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગ(Adani Capital and Adani Housing)ને ગ્રૂપની કંપનીઓ ખરીદી લીધી છે.

કંપનીના વેચાણને લઈને બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ છે. આ ડીલ હેઠળ બેઈન કેપિટલે અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગની 90% ભાગીદારી ખરીદી છે. જે બાદ હવે આ કંપનીનો માત્ર 10% હિસ્સો અદાણી ગ્રુપ પાસે બચ્યો છે. આ 10% હિસ્સો મેનેજમેન્ટ, MD અને CEO ગૌતમ ગુપ્તા પાસે રહેશે. અદાણી ગ્રુપે રવિવારે જાહેરાત કરી હતી કે અમેરિકન ફર્મ અદાણી ગ્રુપની અદાણી કેપિટલમાં 90% હિસ્સો ખરીદીને 120 મિલિયન ડોલરનું રોકાણ કરશે.

1440 કરોડમાં ડીલ થઈ

બેઇન કેપિટલે અદાણીની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીની 90 ટકા ભાગીદારી રૂ. 1440 કરોડમાં ખરીદી છે. અદાણી ગ્રુપની અદાણી કેપિટલનું કુલ મૂલ્ય 1600 કરોડ રૂપિયા છે. અમેરિકન ફર્મ સાથેનો સોદો પૂરો થયા બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ આ ડીલથી ખૂબ જ ખુશ છે. તે જ સમયે, બેઇન કેપિટલે કહ્યું હતું કે તેઓને અદાણી કેપિટલની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે.

Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા

અમેરિકન પેઢીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

અદાણી ગ્રુપ વર્ષ 2017માં અદાણીએ તેનો શેડો બેંકિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. જૂથને સમજાયું કે તેને આ વ્યવસાયમાંથી વધુ નફો નથી મળી રહ્યો, તેથી કંપનીએ તેને વેચવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રૂપ અદાણી કેપિટલનો આઈપીઓ પણ લાવવાનું હતું, પરંતુ કંપનીમાં હિસ્સો ખરીદવામાં અમેરિકન ફર્મની રુચિ જોઈને જૂથે આ શેડો બેન્ક વેચી દીધી. નોંધપાત્ર રીતે, અદાણી જૂથ તેના તમામ નોન-કોર બિઝનેસ સેગમેન્ટ્સને બંધ કરવા માંગે છે.

અદાણી જૂથ અદાણી કેપિટલમાં કુલ શેરનો માત્ર 10 ટકા હિસ્સો ધરાવે છે. જેને ગૌરવ ગુપ્તા જાળવી રાખશે. તેઓ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે ચાલુ રહેશે. અદાણી ગ્રૂપની આ બે કંપનીઓમાં હિસ્સો ખરીદ્યા પછી, બેઇન કેપિટલ આ કંપનીમાં વધારાના રૂ. 120 કરોડનું રોકાણ કરશે.

અલગ અલગ રીતે ફંડ એકત્ર કરાઈ રહ્યું છે

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદથી, અદાણી ગ્રૂપ વિવિધ રીતે ભંડોળ એકત્ર કરવાની યોજનાઓ પર કામ કરી રહ્યું છે. રિપોર્ટમાં અદાણી જૂથના દેવાથી લઈને કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય સુધીના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ બાદથી કંપની દેવું ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">