AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણીની કંપની ઈ-વ્હીકલ ચાર્જિંગના ક્ષેત્રમાં પ્રવેશવાની કરી રહી છે તૈયારી, દેશભરમાં 1,500 સ્ટેશન સ્થાપવાની યોજના

અદાણી ટોટલ ગેસ લિમિટેડે અમદાવાદમાં તેના પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત સાથે ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. આ કંપની અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જી SE વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

ગૌતમ અદાણીની કંપની ઈ-વ્હીકલ ચાર્જિંગના ક્ષેત્રમાં પ્રવેશવાની કરી રહી છે તૈયારી, દેશભરમાં 1,500 સ્ટેશન સ્થાપવાની યોજના
Gautam Adani (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:20 PM
Share

અદાણી ટોટલ ગેસ લિમિટેડે (Adani Total Gas Limited) અમદાવાદમાં તેના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle) ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત સાથે ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. આ કંપની અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જી SEનું સંયુક્ત સાહસ છે. અદાણી ટોટલ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદના મણિનગરમાં ATGLના CNG સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ EV ચાર્જિંગ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહનના માલિકોને શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ચાર્જિંગ સુવિધા અને સગવડતા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. ATGL એ CNG અને પાઇપ્ડ રસોઈ ગેસ (PNG) ની દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની વિતરક છે.

આ સાથે, કંપની દેશભરમાં 1,500 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપીને તેનું નેટવર્ક વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. કંપની દેશમાં EV ઇકોસિસ્ટમ બનાવવાની અને માંગના આધારે 1,500 ચાર્જિંગ સ્ટેશનથી આગળ વધવાની પણ યોજના ધરાવે છે.

ગુજરાત સરકાર અને અદાણી પાવર વચ્ચે ડીલને લઈને વિવાદ ચાલુ

આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારની કંપની અને અદાણી પાવર વચ્ચે પાવર ખરીદી માટે સંશોધિત કરાર પર હસ્તાક્ષર કરવાના મુદ્દે બુધવારે વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને શાસક પક્ષ પર ખાનગી વીજ કંપનીની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે 2007માં અદાણી પાવર સાથે 2.89 રૂપિયા અને 2.35 રૂપિયા પ્રતિ યુનિટના દરે પાવર ખરીદવા માટે એક કરાર  હસ્તાક્ષર કર્યા હતા. દેસાઈએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટના બાકીના સમયગાળા માટે 2018માં દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને પણ નવા કરારને મંજૂરી આપી હતી.

તમને જણાવી દઈએ કે રોડ, રેલ, પાવર, પોર્ટ બાદ હવે અદાણી ગ્રુપનું ફોકસ ગ્રીન હાઈડ્રોડોન બિઝનેસ પર વધી રહ્યું છે. અદાણી ગ્રૂપે કેનેડિયન કંપની બલાર્ડ પાવર સાથે વાહનો અને ઔદ્યોગિક એપ્લિકેશનોને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેચવાની શક્યતા શોધવા માટે કરાર કર્યો છે. આ કરાર અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) દ્વારા કરવામાં આવ્યો છે, જે અદાણી એન્ટરપ્રાઇઝિસની તાજેતરમાં રચાયેલી પેટાકંપની છે.

આ પણ વાંચો : પેટીએમ મોલ અને સ્નેપડીલને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો, ખરાબ પ્રેશર કૂકર વેચવાનો આરોપ

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">