મલ્ટીનેશનલ અને મોટી કંપનીઓ સામે FMCGના નાના વેપારીઓએ મોરચો ખોલ્યો, પ્રોડક્ટસ્ નહીં વેચવાની આપી ચિમકી

જો મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ જે ડિસ્કાઉન્ટસ કે જે ભાવે માલ વેચવા માટે મોલ અને ઓનલાઈન સ્ટોર્સને આપે છે તે જ ભાવે જો નાના વેપારીઓને નહી આપવામાં આવે તો તે તમામ પ્રોડક્ટસ વેચવાનું FMCGના નાના વેપારીઓ બંધ કરી દેશે. અમદાવાદમાં આજે ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશન અને અમદાવાદ કન્ઝ્યુમર્સ પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યુટર્સ ફોરમની એક […]

મલ્ટીનેશનલ અને મોટી કંપનીઓ સામે FMCGના નાના વેપારીઓએ મોરચો ખોલ્યો, પ્રોડક્ટસ્ નહીં વેચવાની આપી ચિમકી
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Mar 22, 2019 | 7:00 AM

જો મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ જે ડિસ્કાઉન્ટસ કે જે ભાવે માલ વેચવા માટે મોલ અને ઓનલાઈન સ્ટોર્સને આપે છે તે જ ભાવે જો નાના વેપારીઓને નહી આપવામાં આવે તો તે તમામ પ્રોડક્ટસ વેચવાનું FMCGના નાના વેપારીઓ બંધ કરી દેશે.

અમદાવાદમાં આજે ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશન અને અમદાવાદ કન્ઝ્યુમર્સ પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યુટર્સ ફોરમની એક મિટિંગ મળી હતી. જેમાં ગુજરાતના નાના મોટા થઈને આશરે 1 હજાર જેટલા વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ ભેગા થયાં હતાં. આ વેપારીઓએ આજે જાહેરાત કરી છે કે મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ જે ડિસ્કાઉન્ટસ કે જે ભાવે માલ વેચવા માટે મોલ અને ઓનલાઈન સ્ટોર્સને આપે છે તે જ ભાવે જો નાના વેપારીઓને માલ વેચવા માટે નહી આપવામાં આવે તો આ તમામ પ્રોડક્ટસ વેંચવાનું FMCGના નાના વેપારીઓ બંધ કરી દેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશનના ચેરમેન અરૂણ પરીખે કહ્યું હતું કે બીજાની જેમ અને તેટલાં જ માર્જીન સાથે અમને પ્રોડક્ટસ વેચવા નહી આપે તો અમે તે કંપનીના માલનો અને મોલ કે ઓનલાઈનમાં સસ્તી વેંચાતી વસ્તુ અમને મોંઘા ભાવે વેચવા આપે છે  તેનો બહિષ્કાર કરીશું. વેપારીઓનું કહેવું છે કે જુના જે વેપારીઓ હતા તેમાંથી 30 ટકા ડિસ્ટ્રીબ્યુટર્સ આ ધંધામાંથી નિકળી ગયાં છે. સાથે જ ઓનલાઈન અને મોલ કલ્ચરને જે રીતે મોટી કંપનીઓ અને સરકાર પ્રોત્સાહન આપે છે તેના કારણે FMCG સાથે જોડાયેલા અનેક વેપારીઓ અને વિતરકો બેરોજગાર થઈ રહ્યાં છે.

ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશનના પ્રમુખ દિપક પટેલે કહ્યું હતું કે કંપનીઓ જે રીતે ભેદભાવ અમારા સાથે રાખી રહી છે તેના કારણે ભાવી અને નવી પેઢી પણ આ ધંધામાં આવવા નથી માંગતી. જ્યારે ટાટા મોટર્સના ડેપ્યુટી જનરલ મેનેજર આશુતોષ મરાઠીયાએ કહ્યું હતું કે FMCGના ધંધામાં જે અસરો આવે તે સીધી જ અમારા વાહનોના ધંધામાં આવે કારણ કે અમે સપ્લાય ચેઈન સાથે જોડાયેલા છીએ. ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશનને ફાયદો થાય તેવું અમે સતત કરીએ છીએ. વ્યાજ, લોન વગેરેની શરતોમાં રાહત કરીએ છીએ.

હવે ઓનલાઈન અને મોલના ધંધા સામે કઇ રીતે લડત આપવી તેના માટે વેપારીઓએ તેમનો પહેલો મુદ્દો તો જારી કરી દીધો છે પણ, વેપારીઓનું કહેવું છે કે અત્યારે સ્થિતી એવી છે કે તેમનો જે પ્રોફિટ માર્જીન હતો તેમાંથી વિતરણના ખર્ચાઓ, સ્ટાફનો પગાર, ટ્રાન્સપોર્ટેશન વગેરે ખર્ચાઓ કરવા પડે છે અને નફાના નામે તેમને કંઇ મળતુ જ નથી. સરકારમાં પણ સંબંધીત વિભાગોને આ મામલે અનેક વાર રજૂઆતો કરી છે પણ તેનું પરિણામ ના આવતા ના છૂટકે તેમણે વિરોધ કરવો પડી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">