EPFO Alert : અજાણ્યા લોકો સાથે ન કરશો આ માહિતી શેર નહીંતર જીવનભરની બચત થઈ જશે સાફ, જાણો વિગતવાર

EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO ​​ક્યારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કૉલ પર પૂછતું નથી અને ન તો EPFO ​​તેના ખાતાધારકોને કોઈ ફોન કૉલ કરે છે.

EPFO Alert : અજાણ્યા લોકો સાથે ન કરશો આ માહિતી શેર નહીંતર જીવનભરની બચત થઈ જશે સાફ, જાણો વિગતવાર
EPFO (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:59 AM

જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે આ અગત્યના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organisation)એ તેના તમામ ગ્રાહકોને ચેતવણીઓ જારી કરી છે. EPFO એ તેના 6 કરોડ PF ખાતાધારકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા બાબતે ચેતવણી આપી છે. EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોઈપણ નોકરી શોધનાર માટે તેના પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ રકમ સૌથી મહત્વપૂર્ણ ફંડ છે. PF પર વ્યાજ સહિત પૈસા જમા થાય છે. આ કિસ્સામાં તમારે તમારા પીએફના નાણાં વિશે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

જાણો EPFOએ શું કહ્યું EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO ​​ક્યારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કૉલ પર પૂછતું નથી અને ન તો EPFO ​​તેના ખાતાધારકોને કોઈ ફોન કૉલ કરે છે.

મોટું નુકસાન થઇ શકે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે હંમેશા EPFO ​​ના નામે આવતા ફોન કોલ્સથી સાવચેત રહો. EPFOએ નકલી વેબસાઇટ્સથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે. જો તમે EPFO ​​ચેતવણીને અવગણશો તો તમારે ભારે કિંમત ચૂકવવી પડશે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

બેંકો સમયાંતરે એલર્ટ પણ જારી કરે છે ઉલ્લેખનીય છે કે બેંક તેના ગ્રાહકોની સુરક્ષા માટે સમયાંતરે ચેતવણીઓ જારી કરતી રહે છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને MMS દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે.

બેન્કિંગ ફ્રોડના કેસો વધી રહ્યા છે આપને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન બેંકિંગ ફ્રોડના કેસમાં વધારો થયો છે. RBI ના રિપોર્ટ અનુસાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાના બેન્કિંગ ફ્રોડ થયા છે. આ સમયગાળા દરમિયાન બેંક ફ્રોડના 6800 થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં ફ્રોડના 5916 કેસ નોંધાયા હતા જેમાંથી રૂ 41,167 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં બેંક ફ્રોડના કુલ 53,334 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે તેમના દ્વારા 2.05 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

આ પણ વાંચો :  Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

આ પણ વાંચો :7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">