કોરોના મહામારીએ બચત કરતા શીખવ્યું, 3 કરોડ નવા જનધન ખાતા સાથે કુલ ખાતીની સંખ્યા થઈ ૪૧ કરોડને પાર
કોરોના રોગચાળા દરમિયાન જન ધન બેંક ખાતા ખોલનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેટ બેંક ઈન્ડિયાના અભ્યાસ મુજબ કોરોના રોગચાળા દરમિયાન જન ધન ખાતું ખોલવાનો દર 60% સુધી વધ્યો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબરની વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં ડિપોઝિટ લગભગ 11600 કરોડ રૂપિયા થઈ છે. આ સાથે, જનધન […]
કોરોના રોગચાળા દરમિયાન જન ધન બેંક ખાતા ખોલનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેટ બેંક ઈન્ડિયાના અભ્યાસ મુજબ કોરોના રોગચાળા દરમિયાન જન ધન ખાતું ખોલવાનો દર 60% સુધી વધ્યો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબરની વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં ડિપોઝિટ લગભગ 11600 કરોડ રૂપિયા થઈ છે. આ સાથે, જનધન ખાતાઓની કુલ સંખ્યા વધીને 41.05 કરોડ થઈ ગઈ છે. આ ખાતાઓમાં કુલ 1.31 લાખ કરોડ રૂપિયા છે.
SBI ના અહેવાલ મુજબ, રોગચાળા દરમિયાન ઘણા શ્રમજીવીઓ શહેરોમાંથી ગામમાં સ્થળાંતર કર્યું છે જેમની આવકમાં ઘટાડો થયો છે. નાણાકીય અસ્થિરતાના કારણે બચત કરવાની ટેવ વધી ગઈ છે. જનધન યોજના તેમના માટે મોટો ટેકો બની છે.ઓગસ્ટ 2014 માં જન ધન યોજનાની શરૂઆત વડા પ્રધાન દ્વારા થઈ હતી. યોજના અંતર્ગત દરેક પરિવાર પાસેથી ખાતું ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ખાતાઓમાં 10,000 રૂપિયાની ઓવરડ્રાફટ સુવિધા ઉપલબ્ધ છે.
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ૨૫ લાખ નવા EPF સબ્સ્ક્રાઇબર્સ જોડાયાછે જેમાંથી 12.4 લાખ એ પ્રથમ વખતના પગારપત્રકમાં એન્ટ્રી કરી છે. ડિગ્રી ઓફ ફોર્મ્યુલાઇઝેશન વર્ષ 2020-2021માં 6% સુધી ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષોમાં સરેરાશ 11% હતો.એસબીઆઇના રિપોર્ટમાં સરકારને ત્રીજા નાણાકીય ઉત્તેજના રાહત પેકેજ જેવા ખાતામાં વધુ નાણાં ઉમેરવા સૂચન કર્યું હતું. ઉદાહરણ તરીકે નરેગા યોજનામાં વધુ વિકાસ થવો જોઈએ તેમજ શહેરમાં વસતા ગરીબ લોકો માટે નવી યોજનાઓ શરૂ કરવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો