AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market Today : ફેસ્ટિવલ સીઝનમાં રસોડાનું બજેટ કાબુમાં રાખવા મોદી સરકારે મહત્વના પગલાં ભર્યા, સરકારે કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરી

Commodity Market Today : તહેવારોની સિઝનમાં સરકાર તમારા રસોડાનું બજેટ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરી રહી છે. દાળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે મોદી સરકાર(Modi Government) જરૂરી પગલાં લઈ શકે છે. આ અંતર્ગત અરહર અને અડદની દાળ પર લાદવામાં આવેલી સ્ટોક લિમિટ બે મહિના માટે લંબાવી શકાય છે.

Commodity Market Today : ફેસ્ટિવલ સીઝનમાં રસોડાનું બજેટ કાબુમાં રાખવા મોદી સરકારે મહત્વના પગલાં ભર્યા, સરકારે કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:34 AM
Share

Commodity Market Today : તહેવારોની સિઝનમાં સરકાર તમારા રસોડાનું બજેટ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરી રહી છે. દાળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે મોદી સરકાર(Modi Government) જરૂરી પગલાં લઈ શકે છે. આ અંતર્ગત અરહર અને અડદની દાળ પર લાદવામાં આવેલી સ્ટોક લિમિટ બે મહિના માટે લંબાવી શકાય છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 31 ઓક્ટોબર 2023 સુધી કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ સાથે સરકાર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (PSF) યોજના હેઠળ ખેડૂતોની ઉપજની સાથે સ્થાનિક બજારમાંથી આયાતી દાળ ખરીદવાની પણ તૈયારી કરી રહી છે. આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે કઠોળના ઉત્પાદનમાં ઘટાડો અને આયાતમાં મંદીની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્ટોક લિમિટ ઓછામાં ઓછા બે મહિના માટે લંબાવવામાં આવશે.

આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

તુવેર અને અડદની દાળના સ્ટોક પર મર્યાદા

નોંધનીય છે કે વધતી કિંમતો વચ્ચે સંગ્રહખોરી અને અટકળોને રોકવા માટે સરકારે જૂનમાં તુવેર અને અડદની દાળના સ્ટોક પર મર્યાદા લાદી હતી. સ્ટોક મર્યાદા 31 ઓક્ટોબર સુધી હોલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારો જેવી ઘણી એન્ટિટી પર લાગુ છે.

કઠોળનો ફુગાવાનો  દર

  • ઓગસ્ટ 13.04%
  • જુલાઈ 13.27%
  • જૂન 10.53%
  • મે 6.56%
  • એપ્રિલ 5.55%
  • માર્ચ 3.03%

આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

વેપારીઓએ ખાંડનો સ્ટોક જાહેર કરવો પડશે

સરકારે પણ ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં લેવાનું શરૂ કરી દીધું છે. આને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓને દર અઠવાડિયે ખાંડનો સ્ટોક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, ઓક્ટોબર માટે 13 લાખ મેટ્રિક ટન ખાંડનો ક્વોટા પહેલેથી જ બહાર પાડવામાં આવ્યો છે.

વેચાણકર્તાઓએ દર અઠવાડિયે સરકારી પોર્ટલ પર સ્ટોક જાહેર કરવાનો રહેશે. ખાંડના જથ્થાબંધ ભાવ 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયા છે. હાલમાં જ ખાદ્ય સચિવે કહ્યું હતું કે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક છે. સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં વ્યાજબી ભાવે ખાંડ ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટીમો સંગ્રહખોરો પર સતત દરોડા પાડી રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">