AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં માત્ર ગણતરીના દિવસ બાકી છે. સપ્ટેમ્બરના અંતમાં ઘણી નાણાકીય બાબતોની સમયમર્યાદા આવી રહી છે. આ ફેરફારો અને સમયમર્યાદા ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જાણો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ...

30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 5:08 PM
Share

હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં માત્ર ગણતરીના દિવસ બાકી છે. સપ્ટેમ્બરના અંતમાં ઘણી નાણાકીય(Financial) બાબતોની સમયમર્યાદા આવી રહી છે. આ ફેરફારો અને સમયમર્યાદા ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જાણો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ…

નાની બચત યોજના માટે આધાર સબમિટ કરવું

જો તમે નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો અને હજુ સુધી સંબંધિત બેંક અથવા પોસ્ટ ઓફિસને તમારો આધાર નંબર આપ્યો નથી તો તમારું એકાઉન્ટ 1 ઓક્ટોબર 2023 થી સસ્પેન્ડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અથવા અન્ય પોસ્ટ ઑફિસની યોજનાઓમાં રોકાણ કરનારાઓએ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તેમની પોસ્ટ ઑફિસ અથવા બેંક શાખામાં તેમનો આધાર નંબર આપવો પડશે.

આ  પણ વાંચો : Share Market Today : નબળાં વૈશ્વિક સંકેતના કારણે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 66608 પર ખુલ્યો

SBI WeCare માં રોકાણ કરવાની અંતિમ તક

વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ વિશેષ યોજનામાં રોકાણ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. આ યોજનામાં ફક્ત વરિષ્ઠ નાગરિકો(Senior citizens)જ રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરનારાઓને વધુ વ્યાજનો લાભ મળે છે.

IDBI Amrit Mahotsav FD માં રોકાણ 

આ વિશેષ યોજનામાં રોકાણની અંતિમ તારીખ પણ 31 ઓક્ટોબર 2023 છે. આ યોજના હેઠળ બેંક સામાન્ય, NRE અને NRO ગ્રાહકોને 375 દિવસની FD પર 7.10 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકાના દરે વ્યાજ આપી રહી છે.  444 દિવસની FD માટે બેંક સામાન્ય ગ્રાહકોને 7.15 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો : EMS Ltd IPO Listing : EMS નો શેર 33% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, રોકાણકારોને મળ્યો સારો લાભ

 ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ટ્રેડિંગ અને ડીમેટ ખાતાધારકો માટે નોમિનેશન ફાઈલ કરવા અથવા નોમિનેશન નાપસંદ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી હતી. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી આ કામ કર્યું નથી તો તમારે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવું પડશે.

રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખ

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીની તારીખ નક્કી કરી હતી. આ તારીખ હવે નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં તમારે આ કાર્યને જલદીથી પૂર્ણ કરવું જોઈએ.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">