AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાવર સેક્ટર માટે કોલસાની સપ્લાઈ 23 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી, CILએ કોલસાના ઉત્પાદન માટે નક્કી કર્યો આ લક્ષ્યાંક

કોલ ઈન્ડિયા લિમિટેડ 2023-24 સુધીમાં કોલસાના નિષ્કર્ષણ, સંશોધન અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી સંબંધિત પ્રોજેક્ટ્સમાં 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

પાવર સેક્ટર માટે કોલસાની સપ્લાઈ 23 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી, CILએ કોલસાના ઉત્પાદન માટે નક્કી કર્યો આ લક્ષ્યાંક
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:50 PM
Share

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલ-ઓક્ટોબર) જાહેર ક્ષેત્રની કોલસા કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)ની પાવર સેક્ટર (power sector)ને કોલસાની સપ્લાઈ 22.7 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી ગઈ છે. કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઓક્ટોબર મહિના માટે કેબિનેટને આપવામાં આવેલા સંક્ષિપ્ત અહેવાલમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. જણાવી દઈએ કે ગત નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળામાં કોલ ઈન્ડિયા લિમિટેડની પાવર સેક્ટરમાં કોલસાની સપ્લાય 23.77 કરોડ ટન રહી હતી.

SCCL દ્વારા ઈંધણનો પુરવઠો 66 ટકા વધીને 30.6 મિલિયન ટન થયો 

છેલ્લા મહિના દરમિયાન પણ કોલ ઈન્ડિયાની પાવર સેક્ટરને કોલસાની સપ્લાઈ 21.7 ટકા વધીને 4 .76 કરોડ ટન થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3.91 કરોડ ટનથી વધારે હતી. સિંગરેની કોલિરીઝ કંપની લિમિટેડ (SCCL- Singareni Collieries Company Limited) દ્વારા પાવર સેક્ટરને બળતણનો પુરવઠો સાત મહિનામાં 66 ટકા વધીને 30.6 મિલિયન ટન થયો છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં કોલસાનો પુરવઠો 1.84 કરોડ ટન હતો.

2023-24 સુધીમાં એક અરબ ટન કોલસાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક

પાવર સેક્ટરને SCCL દ્વારા કોલસાનો પુરવઠો ઓક્ટોબર, 2020માં 33.2 લાખ ટનથી ગત મહિને 41.7 ટકા વધીને 47.1 લાખ ટન થયો હતો. જણાવી દઈએ કે કોલ ઈન્ડિયા લિમિટેડ સ્થાનિક કોલસા ઉત્પાદનમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે.

નોંધનીય છે કે કોલ ઈન્ડિયા લિમિટેડનું વર્ષ 2023-24 સુધીમાં એક અરબ ટન કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય છે. કોલ ઈન્ડિયા લિમિટેડ વર્ષ 2023-24 સુધીમાં કોલસાના નિષ્કર્ષણ, સંશોધન અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી સંબંધિત પ્રોજેક્ટ્સમાં 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

કોલ ઈન્ડિયા કોલસાના નિષ્કર્ષણ પર 32,696 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

આ પ્રસ્તાવિત ખર્ચમાંથી કોલ ઈન્ડિયા 2023-24 સુધીમાં કોલસાના નિષ્કર્ષણ પર 32,696 કરોડ રૂપિયા, ખાણ માળખા પર  25,117 કરોડ રૂપિયા અને પ્રોજેક્ટ વિકાસ પર 29,461 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

કંપની વૈવિધ્યકરણ અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી પર 32,199 કરોડ રૂપિયા, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર  1,495 કરોડ રૂપિયા અને સંશોધન પ્રવૃત્તિઓ પર 1,893 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. માહિતી અનુસાર કુલ 500 પ્રોજેક્ટ માટે 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  New Rules From 1 December : 1 ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત ફેરફાર તમારું ખિસ્સું હળવું કરી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">