AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારને ફાયદો, RBI તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા 87 હજાર કરોડ રૂપિયા

મે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકારને RBI તરફથી મળતા ડિવિડન્ડથી વિન્ડફોલ ગેન થવાની સંભાવના છે. બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકો અને આરબીઆઈ પાસેથી કુલ ડિવિડન્ડ દ્વારા નાણાકીય વર્ષ 2024માં રૂ. 48,000 કરોડ મેળવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારને ફાયદો, RBI તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા 87 હજાર કરોડ રૂપિયા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 5:36 PM
Share

ભારત સરકાર માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) બોર્ડે કેન્દ્ર સરકારને સરપ્લસ તરીકે 87,416 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બોર્ડે એપ્રિલ 2022-માર્ચ 2023 દરમિયાન રિઝર્વ બેંકની કામગીરી અંગે ચર્ચા કરી હતી અને નાણાકીય વર્ષ 2022-23 માટે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અને એકાઉન્ટને મંજૂરી આપી હતી.

બોર્ડે આકસ્મિક રિસ્ક બફરને 6 ટકા પર રાખવાનો નિર્ણય કર્યો અને નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારને સરપ્લસ તરીકે 87,416 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી. અગાઉના નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ બેંકે કેન્દ્ર સરકારને 30,307 કરોડ રૂપિયાની સરપ્લસ આપી હતી.

આ પણ વાંચો: IPO : રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મેળવનાર ઇસ્યુ આજે બંધ થઈ રહ્યા છે, લિસ્ટિંગ સાથે સારી કમાણી આપી શકે છે

શું રાખ્યો હતો ટાર્ગેટ?

મે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકારને RBI તરફથી મળતા ડિવિડન્ડથી વિન્ડફોલ ગેન થવાની સંભાવના છે. બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકો અને આરબીઆઈ પાસેથી કુલ ડિવિડન્ડ દ્વારા નાણાકીય વર્ષ 2024માં રૂ. 48,000 કરોડ મેળવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં સરકારે આરબીઆઈ અને જાહેર નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 40,953 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે નાણાકીય વર્ષ 23 ના રૂ. 73,948 કરોડના બજેટ અંદાજ કરતાં ઘણો ઓછો છે.

આગળ કેટલું ડિવિડન્ડ મળી શકે છે

બજેટ દસ્તાવેજ અનુસાર સરકારી સાહસો અને અન્ય રોકાણોમાંથી ડિવિડન્ડ FY24 માટે પણ રૂ. 43,000 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. FY2023 માટેના સુધારેલા અંદાજ મુજબ સરકારી સાહસો અને અન્ય રોકાણોમાંથી ડિવિડન્ડ રૂ. 40,000 કરોડના બજેટ અંદાજ કરતાં રૂ. 43,000 કરોડ વધુ હતું. જો નિષ્ણાતોનું માનીએ તો આરબીઆઈને નાણાકીય વર્ષ 2023-24માં વધુ કમાણી થવાની અપેક્ષા છે. જેના કારણે સરકારને વધુ ડિવિડન્ડ મળી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">