AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unclaimed Money : RBI આ ખાતેદારોને 48 હજાર કરોડ રૂપિયા પરત કરશે, યાદીમાં તમારું નામ છે કે નહીં? આ રીતે જાણો

100 Days 100 Pays : આરબીઆઈના ડેટા અનુસાર, તામિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની થાપણો(Unclaimed Money) જમા છે.નોંધપાત્ર રીતે દાવો ન કરેલી રકમને તે એકાઉન્ટ માં હોય છે જેમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી.

Unclaimed Money : RBI આ ખાતેદારોને 48 હજાર કરોડ રૂપિયા પરત કરશે, યાદીમાં તમારું નામ છે કે નહીં? આ રીતે જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 10:29 AM
Share

Unclaimed Money : બેંકોમાં એવા કરોડો રૂપિયા પડ્યા હતા કે તેના કોઈ દાવેદાર જ નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) તાજેતરમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની બેઠકમાં તમામ નાણાકીય નિયમનકારોને એક અભિયાન ચલાવવા માટે કહ્યું હતું. આ પછી, ભારતીય રિઝર્વ બેંકે(RBI) બેંકોમાં પડેલી અનક્લેઈમ રકમ માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. તેનું નામ ‘100 Days 100 Pays’  છે. આ પ્રોગ્રામ દ્વારા, આરબીઆઈ ગ્રાહકોના દાવા વગરના નાણાંની માહિતી મેળવશે અને તેને ગ્રાહકને મોકલશે.

RBI એ ઝુંબેશ હાથ ધરી

‘100 Days 100 Pays’ ની ઝુંબેશ વિશે માહિતી આપતા ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે 100 દિવસની અંદર ભારતના દરેક જિલ્લામાં દરેક બેંકમાં 100 Unclaimed Accounts ની ઓળખ કરવામાં આવશે અને તેના માલિકને શોધી કાઢ્યા પછી પૈસા પરત કરવામાં આવશે. આ દ્વારા કેન્દ્રીય બેંક બેંકિંગ સિસ્ટમમાં પડેલી દાવા વગરની રકમને વહેલી તકે પતાવટ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઝુંબેશનો એકમાત્ર ઉદ્દેશ્ય આના દ્વારા તેમની સંચિત મૂડીના યોગ્ય માલિકો સુધી પહોંચવાનો છે.

Unclaimed Money શું છે?

નોંધપાત્ર રીતે દાવો ન કરેલી રકમને તે એકાઉન્ટ માં હોય છે જેમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી. આવા ખાતામાં જમા રકમને Inactive Deposit તરીકે ગણવામાં આવે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં બેંકોમાં દાવો ન કરાયેલી રકમ 48,262 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં આ રકમ 39,264 કરોડ રૂપિયા હતી. આરબીઆઈના ડેટા અનુસાર, તામિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની થાપણો જમા છે.

આ પણ વાંચો : Global Market : વૈશ્વિક બજાર તરફથી મળ્યા રાહતના સમાચાર, શેરબજાર આજે લીલા નિશાન ઉપર ખુલે તેવા સંકેત

બેંકનો સંપર્ક કરી  વિગત તપાસો

6 મે 2023 ના રોજ, RBI ગવર્નર શક્તિકાંત દાસે માહિતી આપી હતી કે RBIએ દાવો ન કરેલી રકમ શોધવા માટે એક વેબ પોર્ટલ શરૂ કરશે. આ પછી, વિવિધ બેંકોની વેબસાઇટને બદલેગ્રાહકોને એક જ પોર્ટલ પર તેમની દાવા વગરની રકમની માહિતી મળશે. હાલમાં બેંકની વેબસાઈટ અને શાખા ઉપરથી માહિતી મળશે

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">