સેન્ટ્રલ બેંકની 600 બ્રાંચ પર તોળાતુ સંકટ, આર્થિક સ્થિતી સુધારવા માટે બંધ થઈ શકે છે આ શાખાઓ

બેંકના નેટવર્કમાં (Central bank of India) 4,594 શાખાઓ છે. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, બેંક તેની ખોટ કરતી સંપત્તિઓને દૂર કરીને આર્થિક સ્થિતિ સુધારવાની વ્યૂહરચના પર આગળ વધી રહી છે.

સેન્ટ્રલ બેંકની 600 બ્રાંચ પર તોળાતુ સંકટ, આર્થિક સ્થિતી સુધારવા માટે બંધ થઈ શકે છે આ શાખાઓ
Central Bank Of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 8:58 PM

સેન્ટ્રલ બેંક (central bank) તેની ડામાડોળ આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે આવનારા સમયમાં કેટલાક કડક પગલાં લઈ શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, બેંક તેની શાખાઓની સંખ્યા 13 ટકા ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. બેંક તેની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ખર્ચ ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં બેંકોને તેમની શાખાઓ બંધ કરવા અથવા ખોટ કરતી શાખાઓને અન્ય શાખાઓ સાથે મર્જ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે બેંક નોન-કોર એસેટના વેચાણ પર પણ વિચાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી બેંકનું નાણાકીય સ્વાસ્થ્ય દબાણ હેઠળ છે. હાલમાં બેંક RBIની PCA યાદીમાં સામેલ છે.

600 જેટલી શાખાઓ બંધ કરવાનું વિચારી રહી છે

રોઇટર્સના અહેવાલમાં લખ્યું છે કે સૂત્રો પાસેથી મળેલી માહિતી અને આ નિર્ણય સાથે સંબંધિત દસ્તાવેજો જોતાં જાણવા મળ્યું છે કે બેંક લગભગ 600 શાખાઓ બંધ કરવાની અથવા તેને અન્ય શાખાઓ સાથે મર્જ કરવાની યોજના બનાવી રહી છે. બેંક માર્ચ 2023 સુધીમાં શાખાઓની સંખ્યા ઘટાડવાની યોજના ધરાવે છે. આ સાથે એક સરકારી સૂત્રએ માહિતી આપી છે કે બેંક રિયલ એસ્ટેટ સહિત નોન-કોર એસેટ્સ વેચવાની પણ યોજના બનાવી રહી છે.

બેંક તેની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા માટે સતત આયોજન કરી રહી છે, જોકે આ પ્રથમ વખત છે જ્યારે શાખા બંધ થવાની વાત સામે આવી રહી છે. બેંકના નેટવર્કમાં 4,594 શાખાઓ છે. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, બેંક તેની ખોટ કરતી સંપત્તિઓને દૂર કરીને આર્થિક સ્થિતિ સુધારવાની વ્યૂહરચના પર આગળ વધી રહી છે. અન્ય બેંકોની સરખામણીમાં બેંકની એનપીએ ઘણી વધારે છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંકની ગ્રોસ એનપીએ 15.16 ટકા હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આરબીઆઈની પીસીએ યાદીમાં સામેલ બેંકો

સેન્ટ્રલ બેંક અને કેટલીક અન્ય બેંકો વર્ષ 2017 થી રિઝર્વ બેંકની PCA (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન) સૂચિમાં જોડાઈ હતી. બેડ લોન સહિત અન્ય ઘણા કેસોમાં નિયમોનું પાલન ન કરવાને કારણે આ બેંકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પીસીએ લિસ્ટમાં આવે ત્યારે બેંકોને ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

આ સાથે રિઝર્વ બેંક પણ તેમની કામગીરી પર ચાંપતી નજર રાખે છે. બેંક દ્વારા તેની શાખામાં મોકલવામાં આવેલ દસ્તાવેજ જેના આધારે રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે, બેંકે લખ્યું છે કે નફા અને કર્મચારીઓના વધુ અસરકારક ઉપયોગ અંગે ખરાબ કામગીરીને કારણે બેંક 2017થી રિઝર્વ બેંકની પીસીએ યાદીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, સેન્ટ્રલ બેંક સિવાય, અન્ય તમામ બેંકો આ યાદીમાંથી બહાર આવી ગઈ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">