AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022-23 : તમારો એક વિચાર બજેટ માટે મહત્વનો મુદ્દો બની શકે છે, 7 જાન્યુઆરી સુધી આ રીતે સરકારને મોકલો સૂચન

સરકારે લોકોને MyGov.in પ્લેટફોર્મ પર બજેટ અંગે તેમના મંતવ્યો રજૂ કરવા કહ્યું છે. દેશનો દરેક નાગરિક પોતાનો વિચાર સરકાર સાથે ઓનલાઈન શેર કરી શકે છે.

Budget 2022-23 : તમારો એક વિચાર બજેટ માટે મહત્વનો મુદ્દો બની શકે છે,  7 જાન્યુઆરી સુધી આ રીતે સરકારને મોકલો સૂચન
Finance Minister Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 5:54 PM
Share

કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવા જઈ રહી છે. હવે આ બજેટ રજૂ થવામાં માત્ર બે મહિના બાકી છે. આવી સ્થિતિમાં બજેટમાં શું હોવું જોઈએ તે અંગે સરકારે જનતાનો અભિપ્રાય માંગ્યો(Inviting Ideas and Suggestions for Union Budget 2022 – 2023) છે. તમારા તરફથી મળેલ કોઈપણ સૂચનો સરકારને પસંદ આવશે તો તેને કેન્દ્રીય બજેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) આ બજેટ પહેલા ઘણી બેઠકો અને ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં ઉદ્યોગ જગતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને આવકવેરા સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને આગામી બજેટમાં હાઇડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહિત કરવા પગલાં લેવાનું સૂચન કર્યું હતું. હવે સરકારે બજેટ માટે સામાન્ય નાગરિકો પાસેથી તેમના અભિપ્રાય અને સૂચનો પણ માંગ્યા છે.

MyGov.in પ્લેટફોર્મ દ્વારા 7 જાન્યુઆરી સુધી સૂચનો આપી શકાશે સરકારે લોકોને MyGov.in પ્લેટફોર્મ પર બજેટ અંગે તેમના મંતવ્યો રજૂ કરવા કહ્યું છે. દેશનો દરેક નાગરિક પોતાનો વિચાર સરકાર સાથે ઓનલાઈન શેર કરી શકે છે. બજેટ પર લોકોનો અભિપ્રાય સરકાર માટે ફાયદાકારક બની શકે છે. વધુને વધુ લોકો આ અદ્ભુત તકનો લાભ લેવાનો પ્રયાસ કરે તેવા પ્રયત્ન હાથ ધરાયા છે. 7 જાન્યુઆરી સુધીમાં આ મુદ્દે સરકાર સમક્ષ વાત રજૂ કરી શકાશે. સાથે જ સરકાર આ સુવિધા દ્વારા બજેટમાં સામાન્ય લોકોની વસ્તુઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરશે.

તમે તમારા સૂચનો આ રીતે મોકલી શકો છો

  • તમારે બજેટ 2021 માટે સૂચનો આપવા માટે https://www.mygov.in/ ની મુલાકાત લેવી પડશે.
  • પહેલા તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરથી લોગીન કરવું પડશે.
  • આ પ્રક્રિયામાં તમારા મોબાઈલ નંબર પર OTP આવશે.
  • તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ Facebook, Twitter, LinkedIn દ્વારા પણ લૉગ ઇન કરી શકો છો.
  • લોગ ઇન કર્યા પછી તમે ત્યાં બજેટ સંબંધિત કોઈપણ વિચાર શેર કરી શકશો.

આ પણ વાંચો :   Tata group: 2024 સુધીમાં ભારતનું 3 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય, ટાટા ગ્રુપની રહેશે મહત્વની ભૂમિકા – એન. ચંદ્રશેખર

આ પણ વાંચો :  Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">