AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata group: 2024 સુધીમાં ભારતનું 3 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય, ટાટા ગ્રુપની રહેશે મહત્વની ભૂમિકા – એન. ચંદ્રશેખર

એન ચંદ્રશેખરન માને છે કે ટાટા ગ્રુપ ભારતને 3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Tata group: 2024 સુધીમાં ભારતનું 3 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય, ટાટા ગ્રુપની રહેશે મહત્વની ભૂમિકા - એન. ચંદ્રશેખર
Natarajan Chandrasekaran (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 12:08 AM
Share

ટાટા ગ્રૂપના (Tata Group) ચેરમેન એન ચંદ્રશેખરન (N Chandrasekaran) માને છે કે 2024 સુધીમાં ભારતના (Indian economy) 3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને પૂર્ણ કરવામાં ટાટા ગ્રૂપ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એન ચંદ્રશેખરને ટાટા ગ્રુપના કર્મચારીઓને લખેલા પત્રમાં આ વાત કહી છે.

ટાટા ગ્રુપના ચેરમેને લખ્યો પત્ર

ચંદ્રશેખરને કહ્યું, “ હું જ્યારે તમને આ પત્ર લખી રહ્યો છું, ત્યારે બીજું એક મુશ્કેલ વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. એક વર્ષ પહેલા, આપણે વિચાર્યું હતું કે આપણે મહામારીનો સૌથી ખરાબ સમય જોઈ લીધો છે. પરંતુ દુ:ખની વાત છે કે, બીજી લહેર પ્રથમ કરતાં ઘણી વધુ મુશ્કેલ સાબિત થઈ. વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોને ખૂબ જ નુક્સાન થયું છે અને હું જાણું છું કે તમારામાંથી કેટલાકને વ્યક્તિગત નુકસાન સહન કર્યું છે. જે લોકો નવા વર્ષમાં પોતાના કોઈ સ્વજન, પરિવારના સભ્ય કે મિત્ર વિના પ્રવેશ કરવાના છે તેમના પતિ પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે.”

ટાટા ગ્રુપ વિશે વાત કરતાં એન ચંદ્રશેખરને કહ્યું છે કે આવનારા સમયમાં ગ્રુપની રણનીતિમાં ડિજિટલ, નવી ઉર્જા, સપ્લાય ચેઈન મિલિટન્સી અને હેલ્થ જેવા વિષયો સામેલ હશે. તેમણે કહ્યું કે તમામ મહત્વાકાંક્ષી યોજનાઓ કોરોના વાયરસ રોગચાળા પછી જીવનશૈલીમાં આવેલા ફેરફારો પર નિર્ભર છે.

ટાટા ગ્રુપનું વેલ્યુએશન 100 અરબ ડોલરથી વધુ

ટાટા ગ્રૂપ, જે મીઠાથી માંડીને સોફ્ટવેર સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે, તેની વેલ્યુએશન 100 અરબ ડોલરથી વધુ છે અને આ ગ્રુપમાં આઠ લાખથી વધુ કર્મચારીઓ છે. નવા વર્ષ નિમિત્તે કર્મચારીઓને પોતાના સંબોધનમાં ચંદ્રશેખરને કહ્યું કે વેપાર અને સમાજે કોરોના મહામારીને અનુરૂપ તૈયારી કરવી જોઈએ. પાછલા વર્ષ પર વિચાર કરતા, તેમણે કહ્યું કે, ગ્રુપ “વધુ સરળ અને નાણાકીય રીતે મજબૂત બની રહ્યું છે.”

ચંદ્રશેખરને કહ્યું, “અમે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનું સારું કામ કર્યું છે. આ વર્ષની અમારી સૌથી મોટી સિદ્ધિ એર ઈન્ડિયાને હસ્તગત કરવાની અમારી બિડની સફળતા છે. તે ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે.”

2024 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 3 ટ્રીલીયન ડોલરની

વધુમાં તેમણે કહ્યું, “ભવિષ્ય માટેની અમારી વ્યૂહરચના ચાર થીમ ધરાવે છે – ડિજિટલ, નવી ઉર્જા, લડાયક સપ્લાય ચેઇન અને હેલ્થકેર. અમારી કંપનીઓ પહેલેથી જ આ ફેરફારોને સ્વીકારી રહી છે, અને અમે મજબૂત પ્રદર્શન જોઈ રહ્યા છીએ.”

ચંદ્રશેખરને જણાવ્યું હતું કે 2024 સુધીમાં 3,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાની દેશની મહત્વાકાંક્ષાઓની સાથે વૃદ્ધિમાં ટાટા ગ્રુપ તેની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે ભારતના ગતીશીલ રસીકરણ કાર્યક્રમને કારણે ‘રક્ષણની દિવાલ’ બનેલી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી સંક્રમણ ખૂબ જ હળવું છે. “પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે, આપણે કોઈ બેદરકારી દાખવી શકતા નથી.”

આ પણ વાંચો :  Maharashtra Schools & Colleges: ‘શાળા-કોલેજ ચાલુ રાખવી કે બંધ કરવી, સ્થિતિ જોઈને ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય’, મહારાષ્ટ્રના મંત્રીનું મહત્વનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">