Breaking News : છત્તીસગઢના વેદાંતા પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટમાં 14 લોકોના મોત અનેક લોકો ઘાયલ, શેર પર થશે અસર?
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આ ઘટના પર દુખદ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5 લાખ રુપિયા તેમજ ઘાયલ થયેલા લોકોને 50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી છે.

છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં14 લોકોના મોત થયા છે. જ્યારે 23 મજુરો 14 ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારના સભ્યોએ વિરોધ કર્યો, 35 લાખ રૂપિયાનું વળતર અને નોકરીની જાહેરાત કરી છે. આ ઘટના ડાભરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની. અકસ્માતમાં 30 થી 40 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5 લાખ રુપિયા તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.
એસપી પ્રફુલ ઠાકુરે ન્યુઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, વેદાંતા પાવર પ્લાન્ટમાં બોયલર ટ્યુબોમાં વિસ્ફોટ થયો છે. સુચના મળતા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ટીમ તરત ઘટના સ્થળે પહોંચી હતી. સૌથી પહેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે રાયગઢ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યારસુધી અંદાજે 14 લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ તપાસ શરુ છે.
વેદાંતાના શેરની સ્થિતિ
Vedanta Ltdના શેર ગત્ત ટ્રેડિંગ સત્રમાં BSE પર વેદાંતા લિમિટેડના શેર 752.50 પર બંધ થયા, જે 0.99% વધીને છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 56.68%નો વધારો થયો છે. તેણે એક વર્ષમાં 90% વળતર આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે 224.48% નું મલ્ટિ-બેગર રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 2.80 લાખ કરોડ છે.
વેદાંતાનો બિઝનેસ શું છે?
અનિલ અગ્રવાલના માલિકન હક વાળી Vedanta Ltd ડાયવર્સિફાઈડ નેચુરલ રિસોર્સઝ કંપની છે. જેનો બિઝનેસ માઈનિંગ અને મેટલ્સથી લઈ ઓયલ એન્ડ ગેસ સુધી ફેલાયેલ છે. કંપની ઝિંક, એલ્યુમિનિયમ, કોપર, આયરન અને જેવા મેટલ્સનું ઉત્પાદન કરે છે. આ સાથે ક્રૂડ ઓયલ અને ગેસના એક્સપ્લોરેશનમાં પણ સામેલ છે.
વેદાંતા પાવર-જનરેશન અને સેમીકંડક્ટર જેવા નવા સેક્ટર્સમાં પણ કંપની છે. જેના માટે ભારતની મોટી રિસોર્સ બેસ્ડ કંપનીમાં ગણતરી કરવામાં આવે છે.
વેદાંતાએ અક્સ્માત પર શું કહ્યું?
વેદાંતાના પ્રવક્તા મુજબ 14 એપ્રિલ 2026ના બોપરે સિંહિતરાઈ પ્લાન્ટના એક બોયલર યુનિટમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમારા સબ-કોન્ટ્રૈક્ટર NGSLના કર્મચારી સામેલ હતા. જે આ યુનિટનું સંચાલન કરે છે.
