Breaking News: વર્ષ 2026-27ના બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહીં, 12.75 લાખ સુધીની લિમિટ યથાવત્
Income Tax Budget Breaking News: નાણામંત્રીએ બજેટ 2026 માં આવકવેરા મુક્તિ અંગે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે નવા આવકવેરા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે. આ વખતે પણ સામાન્ય માણસને બજેટથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ અન્ય કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી નથી.

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2026-27 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા.ગત બજેટમાં ઈન્કમ ટેક્સની લિમીટ 7 લાખથી વધારીને લોકોની અપેક્ષાથી ઉપર 12.75 લાખની કરી દેવાઈ હતી. તે આ બજેટમાં યથાવત્ રાખવામાં આવી છે. આ વખતે બજેટમાં ઈનકમ ટેક્સને લઈને કોઈ છૂટ આપવામાં આવી નથી. તો બીજી તરફ નાના કરદાતાઓ માટે આઈટી રિટર્ન ભરવાની પ્રક્રિયાને વધુ સરળ કરવામાં આવશે. બે કેટેગરીમાં આઈટી રિટર્ન ભરી શકાશે. નવો ઈન્કમ ટેક્સ એક્ટ એપ્રિલ 2026 થી પ્રભાવી થશે. આ બજેટમાં અનડિસ્ક્લોઝ્ડ લિમીટ 1 કરોડ કરી દેવાઈ છે. ઈનકમ ટેક્સ ભરનારા માટે હવે બે કેટેગરી હશે. ફોરિન એસેટ જાહેર કરવા માટેની સમય સીમા વધારા છે. 6 મહિનામાં ફોરેન એસેટ જાહેર કરવાની રહેશે. તો શિક્ષણ માટે TCS માં છૂટ આપવામાં આવી છે. વિદેશમાં અભ્યાસ માટે TCS 5 માંથી 2 ટકા કરાશે.
રવિવારે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આવકવેરા પર બોલવાનું શરૂ કર્યું, ત્યારે મધ્યમ વર્ગ સહિત નોકરિયાત વર્ગની નજર તેના પર ટકેલી હતી. બધાને આશા હતી કે બજેટ તેમના માટે કંઈક નવુ લાવશે, પરંતુ એવું થયું નહીં. આ વખતે, નાણામંત્રીએ આવકવેરા અંગે સામાન્ય જનતાને કોઈ સીધી રાહત આપી નથી. નાણામંત્રીએ આવકવેરા અંગે બે મોટી જાહેરાતો કરી છે.
પ્રથમ, નાણામંત્રીએ જાહેરાત કરી કે નવા આવકવેરા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ માટે, બધા ITR ફોર્મમાં ફેરફાર કરવામાં આવશે. આ ફોર્મ ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે.
બીજું, તેમણે શેરબજારમાં થનારા ટ્રાન્જેક્શન પર ટેક્સમાં વધારો કર્યો. આ જ કારણ છે કે બજેટ પૂરું થતાં જ શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને વેચાણ વધ્યું.
