AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સરકારી યોજના હેઠળ સરકાર તમારા ખાતામાં દર મહિને રૂપિયા 5000 જમા કરી રહી છે, જાણો વિગતવાર

અટલ પેન્શન યોજના મોદી સરકારની એક લોકપ્રિય યોજના છે જેમાં દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની રકમ નાગરિકોને આપવામાં આવે છે. જો પતિ અને પત્ની બંને આ યોજનામાં અરજી કરે છે તો તેમને 10,000 રૂપિયાનો લાભ મળશે.

આ સરકારી યોજના હેઠળ સરકાર તમારા ખાતામાં દર મહિને રૂપિયા 5000 જમા કરી રહી છે, જાણો વિગતવાર
PM Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 11:32 AM
Share

કેન્દ્ર સરકાર (Central Government)દ્વારા દેશના તમામ વર્ગો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે અમે તમને સરકારની એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં તમને દર મહિને પૂરા 5000 રૂપિયા મળશે પરંતુ જો તમે પરિણીત છો તો તમને તેનાથી ડબલ એટલે કે પૂરા 10,000 રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે આ પૈસા તમારા ખાતામાં દર મહિને જમા થશે. આ યોજનાનું નામ અટલ પેન્શન યોજના(Atal Pension Scheme) છે. આમાં તમને દર મહિને પેન્શનની સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ પતિ અને પત્ની બંને કમાણી કરી શકે છે. આ સિવાય કોઈપણ વ્યક્તિ સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે.

યોજનાનો લાભ કોણ લઈ શકે ?

અટલ પેન્શન યોજના મોદી સરકારની એક લોકપ્રિય યોજના છે જેમાં દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની રકમ નાગરિકોને આપવામાં આવે છે. જો પતિ અને પત્ની બંને આ યોજનામાં અરજી કરે છે તો તેમને 10,000 રૂપિયાનો લાભ મળશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે પતિ અને પત્ની બંને આ યોજના હેઠળ ₹ 5000 ની પેન્શન રકમ માટે અરજી કરી શકે છે.

પ્રીમિયમ દર મહિને ચૂકવવાનું રહેશે

આ યોજનામાં નાગરિકોએ દર મહિને પ્રીમિયમની રકમ ભરવાની હોય છે. જો અરજદારની ઉંમર 18 વર્ષ છે તો તેણે દર મહિને 210 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી તરફ જો આ જ પૈસા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા આપવા પડશે અને 1,239 રૂપિયા છ મહિનામાં આપવા પડશે. આ સિવાય દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે 18 વર્ષની ઉંમરે માત્ર 42 રૂપિયા ચૂકવવા પડશે.

60 વર્ષ પહેલા મૃત્યુ થવા પર કોને મળશે પૈસા?

જો કોઈ કારણસર નાગરિકનું 60 વર્ષની વય પહેલા મૃત્યુ થાય છે તો આ અટલ પેન્શન યોજનાના પૈસા નાગરિકની પત્નીને આપવામાં આવશે. જો કોઈ કારણોસર પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થાય છે તો આ પેન્શનના પૈસા નામાંકિત નાગરિકને આપવામાં આવશે.

તમે 42 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકો છો

તમે તેમાં માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક રોકાણ કરી શકો છો. આમાં તમારે 42 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું રહેશે. 42 વર્ષમાં તમારું કુલ રોકાણ રૂ. 1.04 લાખ થશે. 60 વર્ષ પછી તમને 5000 રૂપિયા માસિક પેન્શન મળશે. આવકવેરાની કલમ 80CCD હેઠળ, તેને કર મુક્તિનો લાભ મળે છે.

ખાતું ક્યાં ખોલી શકાય?

તમે સભ્યના નામે માત્ર 1 ખાતું ખોલાવી શકો છો. તમે આ યોજનામાં બેંક દ્વારા ખાતું ખોલાવી શકો છો. પ્રથમ 5 વર્ષ માટે સરકાર દ્વારા પણ યોગદાનની રકમ આપવામાં આવશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સતત 20મા દિવસે પણ નથી બદલાયો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

આ પણ વાંચો : LIC IPOની શેરબજાર પર શું અસર થશે ? આ લિસ્ટિંગ રોકાણકારો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">