AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashneer Grover એ BharatPe માંથી રાજીનામું આપ્યું, કહ્યું રોકાણકારોએ તેને બદનામ કર્યો

અશ્નીરે પત્રમાં લખ્યું છે કે હું ભારે હૃદયથી આ લખી રહ્યો છું કારણ કે આજે મને એવી કંપનીને અલવિદા કહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે જેનો હું સ્થાપક છું. હું ગર્વથી કહું છું કે આજે આ કંપની ફિનટેકની દુનિયામાં લીડર તરીકે ઊભી છે.

Ashneer Grover એ BharatPe માંથી રાજીનામું આપ્યું, કહ્યું રોકાણકારોએ તેને બદનામ કર્યો
Ashneer Grover
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 9:49 AM
Share

BharatPe ના સહ-સ્થાપક Ashneer Grover એ કંપની અને તેના બોર્ડમાંથી રાજીનામું(Ashneer Grover Resign) આપ્યું છે. લગભગ બે મહિનાથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત  ગ્રોવરના રાજીનામા સાથે થયો છે. આ વિવાદ એક ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ શરૂ થયો હતો જેમાં તેણે કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank) ના કર્મચારી સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. ભારતપેના મેનેજિંગ ડિરેક્ટર ગ્રોવરે ફિનટેકના બોર્ડને એક ઈમેલમાં જણાવ્યું હતું કે વર્ષની શરૂઆતથી જ તેમની નિંદા કરવામાં આવી હતી અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.

તેણે પત્રમાં લખ્યું છે કે હું ભારે હૃદયથી આ લખી રહ્યો છું કારણ કે આજે મને એવી કંપનીને અલવિદા કહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે જેનો હું સ્થાપક છું. હું ગર્વથી કહું છું કે આજે આ કંપની ફિનટેકની દુનિયામાં લીડર તરીકે ઊભી છે. વર્ષ 2022 ની શરૂઆતથી મારા અને મારા પરિવાર પર કેટલાક લોકો દ્વારા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. આનાથી ન માત્ર મારી પ્રતિષ્ઠાને જ નુકસાન થયું છે પરંતુ તેનાથી કંપનીની છબી પણ ખરાબ થઈ છે.

ગ્રોવરે કહ્યું કે ભારતીય ઉદ્યોગસાહસિકતાના ચહેરા તરીકે ઓળખાતા તે હવે તેના રોકાણકારો અને મેનેજમેન્ટ સામે લાંબી એકલવાયી લડાઈ લડવામાં પોતાનો સમય બગાડી રહ્યાં છે. તેમણે કહ્યું, “દુર્ભાગ્યે આ લડાઈમાં મેનેજમેન્ટે તે ગુમાવ્યું છે જે ખરેખર દાવ પર લાગ્યું છે – ભારતપે

SIAC તરફથી કોઈ રાહત નથી

એક મીડિયા રિપોર્ટ મુજબ ગ્રોવરનું રાજીનામું સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) એ ગયા અઠવાડિયે કંપનીમાં ચાલી રહેલી “ગવર્નન્સ રિવ્યુ” સામે ગ્રોવરની આપાતકાલીન અરજીને નકારી કાઢ્યા પછી આવ્યું છે જેમાં તેને કોઈ રાહત મળી ન હતી.

અગાઉ, ભરતપેએ અશ્નીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરને નાણાકીય અનિયમિતતાના આરોપમાં બરતરફ કરી દીધી હતી. ભારતમાં માધુરી જૈન નિયંત્રણ વડા હતા. આંતરિક તપાસમાં ફિનટેક પ્લેટફોર્મ પર તેમના સમય દરમિયાન પૈસાની હેરફેરનો ખુલાસો થયો હતો.

ગ્રોવરે ભારતપેના રોકાણકારો પર વાસ્તવિક બિઝનેસ કેવો દેખાય છે તે ભૂલીને તેમને વાસ્તવિકતાથી વિચલિત કરવાનો આરોપ લગાવ્યો. હકીકત એ છે કે આજે તમે માનો છો કે મેં મારી ઉપયોગીતાની સેવા કરી છે અને તેથી હું ધીમે ધીમે એક દાયિત્વ  બની રહ્યો છું. ગ્રોવરે તેના પત્રમાં લખ્યું હતું કે, “આજે મારી નિંદા કરવામાં આવી રહી છે અને અત્યંત અપમાનજનક રીતે વર્તે છે.”

આ પણ વાંચો : Changes From 1 March : માર્ચ મહિનામાં લાગુ પડી રહ્યા છે આ ફેરફાર જે પાડશે તમારા ખિસ્સા પર સીધી અસર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રશિયા – યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડના ભાવ રેકોડ સ્તરે પહોંચ્યા, જાણો તમારા ઉપર પડશે શું અસર?

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">