પ્રદુષણ વધવાને કારણે એર પ્યુરિફાયરનું વેચાણ વધ્યું, સેલ્સમાં 30 ટકાનો ઉછાળો

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી એર પ્યુરીફાયરનું વેચાણ વધી રહ્યું છે. આ વર્ષે એર પ્યુરીફાયરનો બિઝનેસ વધીને 500 કરોડ રૂપિયા થઈ ગયો છે.

પ્રદુષણ વધવાને કારણે એર પ્યુરિફાયરનું વેચાણ વધ્યું, સેલ્સમાં 30 ટકાનો ઉછાળો
Delhi - Air Pollution
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 12:03 AM

પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રૂમ એર પ્યુરિફાયર (હવા શુદ્ધ કરવાના ઉપકરણો)ના વેચાણમાં તેજી જોવા મળી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી એર પ્યુરીફાયરનું વેચાણ વધી રહ્યું છે. આ દરમિયાન દેશમાં એર પ્યુરીફાયરનો બિઝનેસ  500 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

આ પ્રોડક્ટના કુલ વેચાણમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતનો હિસ્સો ત્રણ ચતુર્થાંશ છે. આ સિઝનમાં નવા મોડલની રજૂઆત સાથે એર પ્યુરિફાયર કંપનીઓ માત્ર ખરાબ હવાની ગુણવત્તાથી જ નહીં, પરંતુ SARS-CoV-2 વાયરસના જોખમથી પણ રક્ષણ આપવાનો દાવો કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

યુરેકા ફોર્બ્સના મેનેજિંગ ડિરેક્ટર અને CEO માર્જિન આર શ્રોફે જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ્સની નવી શ્રેણી 2021 દરમિયાન નોંધપાત્ર બજાર હિસ્સો મેળવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે તે દેશભરના હજારો પરિવારોને જરૂરી રાહત આપશે.

વેચાણમાં 30 ટકાનો ઉછાળો

આંકડા આપ્યા વિના તેમણે કહ્યું કે આ શ્રેણીમાં કંપનીના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 30 ટકાનો વધારો થયો છે. કેન્ટ આરઓના સ્થાપક અને ચેરમેન મહેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ કંપનીએ આ સિઝનમાં વેચાણમાં પહેલેથી જ વધારો જોયો છે અને શિયાળાના અંત સુધી આ જ ગતિ ચાલુ રહેવાની આશા રાખે છે.

70 ટકા વેચાણ માત્ર દિલ્હી-એનસીઆરમાં થાય છે

તેમણે કહ્યું કે અગાઉ 70 ટકા કેન્ટ એર પ્યુરીફાયર દિલ્હી એનસીઆરમાં વેચાતા હતા, પરંતુ આ વર્ષે તેમની માંગ અન્ય શહેરોમાંથી પણ વધી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરની નજીક છે. આને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે શનિવારે એક અઠવાડિયા માટે શાળાઓ બંધ રાખવા સહિત અનેક કટોકટીના પગલાંની જાહેરાત કરી હતી.

પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી

દિલ્હી અને ગુરુગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદૂષણની સ્થિતિ વણસી છે. શુક્રવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 471 પર પહોંચ્યો હતો, જે સિઝનનું સૌથી ખરાબ સ્તર છે. સુપ્રીમ કોર્ટે શનિવારે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે લોકો ઘરની અંદર પણ માસ્ક પહેરે છે.

આપને જણાવી દઈએ કે દિલ્હીમાં CPCBએ રાજધાનીમાં લોકોને આઉટડોર પ્રવૃત્તિઓ મર્યાદિત કરવા, તેમજ સરકારી અને ખાનગી કચેરીઓને ઓછામાં ઓછા 30 ટકા વાહનોનો ઉપયોગ ઘટાડવા જણાવ્યું હતું. શુક્રવારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Central Pollution Control Board)ના એક બુલેટિન અનુસાર દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 471 હતો, જે આ સિઝનમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ હતો. અને ગુરુવારે તે એર ક્વોલિટી ઈન્ડેક્સ 411 હતો.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">