AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે

એર ઈન્ડિયાના ઈતિહાસ વિશે વાત કરીએ તો, તેની શરૂઆત એપ્રિલ 1932માં થઈ હતી. તેની સ્થાપના ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી.

Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે
Air India ની Tata Group માં ઘર વાપસી થઇ રહી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 9:08 AM
Share

એર ઈન્ડિયા (Air India) ની 69 વર્ષ બાદ આજે ઘર વાપસી થઇ છે. એર ઈન્ડિયા આજે 27 જાન્યુઆરીએ ગુરુવારે ટાટા ગ્રુપ (Tata Group)ને સોંપવામાં આવી રહી છે. આ ડીલની બાકીની ઔપચારિકતાઓ આગામી એક-બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. એર ઈન્ડિયાના કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં એર ઈન્ડિયાના ફાઈનાન્સ ડિરેક્ટર વિનોદ હેજમાદીએ જણાવ્યું કે કંપનીની બેલેન્સ શીટ 24 જાન્યુઆરીએ બંધ થઈ છે જેથી ટાટા ગ્રુપ તેની સમીક્ષા કરી શકે. હવે જો કોઈ ફેરફાર થાય તો તે 26 જાન્યુઆરી બુધવાર બાદ લાગુ થશે. ગયા વર્ષે 8 ઓક્ટોબરે ટાટા જૂથે એર ઈન્ડિયા માટે બિડ જીતી લીધી હતી. એર ઈન્ડિયા-ટાટા ગ્રુપની ડીલ રૂ. 18,000 કરોડની છે. આ ડીલ હેઠળ એર ઈન્ડિયાને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની Talace પ્રાઈવેટ લિમિટેડને વેચવામાં આવી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ એઆઈએસએટીએસના વેચાણનો પણ સમાવેશ થાય છે. 2003-04 પછી આ પ્રથમ ખાનગીકરણ છે. એર ઈન્ડિયા પાસે સ્થાનિક એરપોર્ટ પર 4,480 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2,738 છે. ઉપરાંત કંપની પાસે વિદેશી એરપોર્ટ પર પાર્કિંગ માટે લગભગ 900 સ્લોટ છે. આ સ્લોટ્સ આંતરરાષ્ટ્રીય બજાર અને ફ્લાઈટ્સ સુધી કંપનીની ઍક્સેસનું વર્ણન કરે છે જ્યારે એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ દર અઠવાડિયે 665 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

શું છે હવે પછીનો પ્લાન?

આ ડીલ હેઠળ ટાટા ગ્રુપને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50 ટકા હિસ્સો મળશે. ટાટા એર ઈન્ડિયા આ સોદાના બદલામાં સરકારને રૂ. 2,700 કરોડ રોકડ ચૂકવશે અને એરલાઇન્સ પરનું રૂ. 15,300 કરોડનું દેવું લેશે. એવું માનવામાં આવે છે કે ટાટા ગ્રુપ હવે ત્રણ એરલાઇન્સનું સંચાલન કરશે – એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા. ગ્રુપ એર એશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને મર્જ કરી શકે છે. આનાથી દેશના એરલાઇન ઉદ્યોગમાં ટાટા ગ્રુપનું વર્ચસ્વ વધી શકે છે.

એર ઈન્ડિયાની શરૂઆત 1932માં થઈ હતી

એર ઈન્ડિયાના ઈતિહાસ વિશે વાત કરીએ તો, તેની શરૂઆત એપ્રિલ 1932માં થઈ હતી. તેની સ્થાપના ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી. તે સમયે નામ ટાટા એરલાઈન્સ હતું. જેઆરડી ટાટાએ સૌપ્રથમ 1919માં માત્ર 15 વર્ષની ઉંમરે ઉડાન ભરી હતી પરંતુ આ શોખ એક જુસ્સો બની ગયો અને જેઆરડી ટાટાએ તેમનું પાઇલટનું લાઇસન્સ લીધું.

15 ઓક્ટોબર 1932ના રોજ પ્રથમ ઉડાન ભરી હતી

એરલાઇનની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 15 ઓક્ટોબર 1932ના રોજ ઉપડી હતી. ત્યારબાદ સિંગલ-એન્જિન હેવિલેન્ડ પાસ મોથ હતી જેણે અમદાવાદ-કરાચી થઈને મુંબઈ માટે ઉડાન ભરી હતી. તે સમયે પ્લેનમાં એક પણ પેસેન્જર નહોતો પરંતુ 25 કિલોના લોટ હતા. આ પત્રો ઈમ્પિરિયલ એરવેઝ દ્વારા લંડનથી કરાચી લાવવામાં આવ્યા હતા. આ એરવેઝ બ્રિટનનું જાજરમાન વિમાન હતું. ત્યારબાદ વર્ષ 1933માં ટાટા એરલાઈન્સે મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ ઉડાવી હતી. ટાટાએ બે લાખ રૂપિયાના ખર્ચે કંપનીની સ્થાપના કરી હતી.

આ પણ વાંચો :TCS : ટાટાની આ કંપનીએ રચ્યો ઇતિહાસ, વિશ્વની બીજી સૌથી મોટી IT Service કંપની બની

આ પણ વાંચો : Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">