Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે

એર ઈન્ડિયાના ઈતિહાસ વિશે વાત કરીએ તો, તેની શરૂઆત એપ્રિલ 1932માં થઈ હતી. તેની સ્થાપના ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી.

Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે
Air India ની Tata Group માં ઘર વાપસી થઇ રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 9:08 AM

એર ઈન્ડિયા (Air India) ની 69 વર્ષ બાદ આજે ઘર વાપસી થઇ છે. એર ઈન્ડિયા આજે 27 જાન્યુઆરીએ ગુરુવારે ટાટા ગ્રુપ (Tata Group)ને સોંપવામાં આવી રહી છે. આ ડીલની બાકીની ઔપચારિકતાઓ આગામી એક-બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. એર ઈન્ડિયાના કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં એર ઈન્ડિયાના ફાઈનાન્સ ડિરેક્ટર વિનોદ હેજમાદીએ જણાવ્યું કે કંપનીની બેલેન્સ શીટ 24 જાન્યુઆરીએ બંધ થઈ છે જેથી ટાટા ગ્રુપ તેની સમીક્ષા કરી શકે. હવે જો કોઈ ફેરફાર થાય તો તે 26 જાન્યુઆરી બુધવાર બાદ લાગુ થશે. ગયા વર્ષે 8 ઓક્ટોબરે ટાટા જૂથે એર ઈન્ડિયા માટે બિડ જીતી લીધી હતી. એર ઈન્ડિયા-ટાટા ગ્રુપની ડીલ રૂ. 18,000 કરોડની છે. આ ડીલ હેઠળ એર ઈન્ડિયાને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની Talace પ્રાઈવેટ લિમિટેડને વેચવામાં આવી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ એઆઈએસએટીએસના વેચાણનો પણ સમાવેશ થાય છે. 2003-04 પછી આ પ્રથમ ખાનગીકરણ છે. એર ઈન્ડિયા પાસે સ્થાનિક એરપોર્ટ પર 4,480 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2,738 છે. ઉપરાંત કંપની પાસે વિદેશી એરપોર્ટ પર પાર્કિંગ માટે લગભગ 900 સ્લોટ છે. આ સ્લોટ્સ આંતરરાષ્ટ્રીય બજાર અને ફ્લાઈટ્સ સુધી કંપનીની ઍક્સેસનું વર્ણન કરે છે જ્યારે એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ દર અઠવાડિયે 665 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

શું છે હવે પછીનો પ્લાન?

આ ડીલ હેઠળ ટાટા ગ્રુપને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50 ટકા હિસ્સો મળશે. ટાટા એર ઈન્ડિયા આ સોદાના બદલામાં સરકારને રૂ. 2,700 કરોડ રોકડ ચૂકવશે અને એરલાઇન્સ પરનું રૂ. 15,300 કરોડનું દેવું લેશે. એવું માનવામાં આવે છે કે ટાટા ગ્રુપ હવે ત્રણ એરલાઇન્સનું સંચાલન કરશે – એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા. ગ્રુપ એર એશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને મર્જ કરી શકે છે. આનાથી દેશના એરલાઇન ઉદ્યોગમાં ટાટા ગ્રુપનું વર્ચસ્વ વધી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

એર ઈન્ડિયાની શરૂઆત 1932માં થઈ હતી

એર ઈન્ડિયાના ઈતિહાસ વિશે વાત કરીએ તો, તેની શરૂઆત એપ્રિલ 1932માં થઈ હતી. તેની સ્થાપના ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી. તે સમયે નામ ટાટા એરલાઈન્સ હતું. જેઆરડી ટાટાએ સૌપ્રથમ 1919માં માત્ર 15 વર્ષની ઉંમરે ઉડાન ભરી હતી પરંતુ આ શોખ એક જુસ્સો બની ગયો અને જેઆરડી ટાટાએ તેમનું પાઇલટનું લાઇસન્સ લીધું.

15 ઓક્ટોબર 1932ના રોજ પ્રથમ ઉડાન ભરી હતી

એરલાઇનની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 15 ઓક્ટોબર 1932ના રોજ ઉપડી હતી. ત્યારબાદ સિંગલ-એન્જિન હેવિલેન્ડ પાસ મોથ હતી જેણે અમદાવાદ-કરાચી થઈને મુંબઈ માટે ઉડાન ભરી હતી. તે સમયે પ્લેનમાં એક પણ પેસેન્જર નહોતો પરંતુ 25 કિલોના લોટ હતા. આ પત્રો ઈમ્પિરિયલ એરવેઝ દ્વારા લંડનથી કરાચી લાવવામાં આવ્યા હતા. આ એરવેઝ બ્રિટનનું જાજરમાન વિમાન હતું. ત્યારબાદ વર્ષ 1933માં ટાટા એરલાઈન્સે મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ ઉડાવી હતી. ટાટાએ બે લાખ રૂપિયાના ખર્ચે કંપનીની સ્થાપના કરી હતી.

આ પણ વાંચો :TCS : ટાટાની આ કંપનીએ રચ્યો ઇતિહાસ, વિશ્વની બીજી સૌથી મોટી IT Service કંપની બની

આ પણ વાંચો : Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">