AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટા ગ્રુપ લાવ્યું એર ઇન્ડિયાના ‘સારા દિવસો’, હવે આખી દુનિયામાં આધિપત્ય જમાવવા તૈયાર

ટાટા ગ્રુપના હાથમાં આવતાની સાથે જ એર ઈન્ડિયાના દિવસો બદલાવા લાગ્યા છે. એક સમયે 'મહારાજા'નો ખર્ચો બહુ મુશ્કેલીથી નીકળતો હતો, હવે તે આખી દુનિયા પર આધિપત્ય જમાવવા તૈયાર લાગે છે. ચાલો સમજીએ...

ટાટા ગ્રુપ લાવ્યું એર ઇન્ડિયાના 'સારા દિવસો', હવે આખી દુનિયામાં આધિપત્ય જમાવવા તૈયાર
Air India
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 9:12 AM
Share

એક સમયે વિશ્વમાં ભારતની ઓળખ ગણાતી ‘એર ઈન્ડિયા’ ફરી એકવાર આવું કરવા માટે તૈયાર છે. ટાટા ગ્રુપમાં એર ઈન્ડિયાની વાપસી સાથે તેના દિવસો બદલાવા લાગ્યા છે. ટાટા જૂથનું સમગ્ર ધ્યાન એર ઈન્ડિયાને તેની ખોવાયેલી ઓળખ પાછી મેળવવા અને તેને વૈશ્વિક એરલાઈન બનાવવા પર છે. આ દિશામાં એર ઈન્ડિયા ફ્રાન્સ અને જર્મનીની સૌથી મોટી એરલાઈન્સ કંપનીઓ સાથે મોટો સોદો કરવા જઈ રહી છે.

વાસ્તવમાં, ટાટા ગ્રુપે એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ (AIESL)ને ખરીદવા માટે જર્મનીની લુફ્થાંસા અને ફ્રાન્સની એર ફ્રાન્સ-કેએલએમ એરલાઈન્સ સાથે જોડાણ કર્યું છે. ટાટા જૂથ ઈચ્છે છે કે જ્યારે પણ AIESLની હરાજી કરવામાં આવે ત્યારે આ બંને એરલાઈન્સની મેન્ટેનન્સ સબસિડિયરી કંપની તે કન્સોર્ટિયમનો ભાગ હોવી જોઈએ.

ટાટા ગ્રૂપે તેની બે એરલાઇન્સ વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયાને એર ઇન્ડિયા સાથે મર્જ કરવાની યોજના બનાવી છે. આ કારણે સિંગાપોર એરલાઈન્સની પણ એર ઈન્ડિયામાં 25.1 ટકા ભાગીદારી છે. તેથી,સિંગાપોર એરલાઇન્સની એન્જિનિયરિંગ પેટાકંપની પણ AIESLની હરાજીમાં ભાગ લેનારા કન્સોર્ટિયમમાં ભાગ લેશે.

સરકારે AIESLનું વેચાણ કર્યું નથી

જ્યારે સરકારે રૂ. 18,000 કરોડના સોદામાં એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપી હતી, ત્યારે તેની મેન્ટેનન્સ રિપેર એન્ડ ઓપરેશન (MRO) સબસિડિયરી AIESLને સોદામાંથી બહાર રાખવામાં આવી હતી, એટલે કે તેને વેચવામાં આવી ન હતી. તે હજુ પણ સરકારી કંપની છે. આ કંપની મુખ્યત્વે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું જ સમારકામ કરે છે, તેથી તેની માલિકી એર ઈન્ડિયા માટે જરૂરી છે.

સૌથી મોટી એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની

AIESL દેશની સૌથી મોટી MRO કંપની છે. તેના દેશભરમાં 6 હૈંગર છે જ્યાં એરક્રાફ્ટની જાળવણી કરવામાં આવે છે. AIESLએ નાણાકીય વર્ષ 2021-22માં 450 એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું. ત્યારે તેને 840 કરોડ રૂપિયાનો નફો થયો હતો. સરકાર તેના ખાનગીકરણના માર્ગ પર બહુ જલ્દી આગળ વધી શકે છે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">