પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ

આનંદ મહિન્દ્રાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "વર્તમાન સરકારે પદ્મ પુરસ્કાર સન્માનિતની યાદીમાં પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. હવે ધ્યાન દેશના લોકો પર છે જેઓ સમાજ અને દેશના સુધારણામાં પોતાનું અજોડ યોગદાન આપે છે.

પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને 'અયોગ્ય' ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ
Anand Mahindra honored with Padma Bhushan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:21 AM

આ વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત દેશના નાગરિક પુરસ્કાર સમારોહમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021 માટે જે લોકોને નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ સામેલ છે. જે લોકોએ પોતાના કામ અને મજબૂત ઈરાદાથી દેશને ગૌરવ અપાવ્યું તેમાં હરેકલા હજબાનું નામ સામેલ છે જેમણે રસ્તા પર નારંગી વેચીને કમાયેલા પૈસાથી બાળકોના શિક્ષણ માટે ગામમાં શાળા ખોલી છે.

આનંદ મહિન્દ્રાને સન્માનિત કરાયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આનંદ મહિન્દ્રાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળ મહિન્દ્રા ગ્રૂપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલથી લઈને આઈટી અને એરોસ્પેસ સુધીના ઘણા મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

જાણો આનંદ મહિન્દ્રાએ એવોર્ડનો શ્રેય કોને આપ્યો? રાષ્ટ્રપતિના હાથે પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેણે એક એવી વાત પણ કહી, જેણે આખા દેશનું દિલ જીતી લીધું. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું, “મારા પદ્મ ભૂષણ પુરસ્કાર માટે તમારા અભિનંદન બદલ આપ સૌનો આભાર. એક જૂની કહેવત છે – જો તમે વાડની ઉપર કાચબાને જોશો, તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે તે જાતે ત્યાં પહોંચશે નહીં. હું મહિંદ્રાઈટ્સના ખભાના ટેકે ઉભો છું.

આનંદ મહિન્દ્રાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “વર્તમાન સરકારે પદ્મ પુરસ્કાર સન્માનિતની યાદીમાં પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. હવે ધ્યાન દેશના લોકો પર છે જેઓ સમાજ અને દેશના સુધારણામાં પોતાનું અજોડ યોગદાન આપે છે. હકીકતમાં, હું આવા લોકોની યાદીમાં સામેલ થવાને લાયક નથી લાગતો.”

આનંદ મહિન્દ્રા પોતાને પદ્મ પુરસ્કાર માટે લાયક નથી માનતા આનંદ મહિન્દ્રાના આ બે ટ્વિટમાં બે બહુ મોટા સંદેશ છુપાયેલા છે. પહેલા ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, જે કામ માટે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તેને પૂર્ણ કરનાર તે એકમાત્ર વ્યક્તિ નથી. તેમને આ સન્માન માટે લાયક બનાવવા માટે, મહિન્દ્રા સાથે એક યા બીજી રીતે જોડાયેલા તમામ લોકોનો સહકાર છે. તે જ સમયે, અન્ય એક ટ્વિટ દ્વારા, તે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અગાઉની સરકારોમાં, ફક્ત તે જ લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેઓ પહેલાથી જ મોટી હસ્તી હતા. જ્યારે આ સરકારમાં એવા લોકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે જેઓ પાયાના સ્તરેથી દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ પોતાની સાથે ઉભા રહેવા માટે પોતાને લાયક નથી માનતા.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : Paytm IPO: શા માટે પેટીએમ આઈપીઓને જોખમભર્યો માનવામાં આવી રહ્યો છે? શું છે ફંડ મેનેજરનો દાવો, જાણો અહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">