AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ

આનંદ મહિન્દ્રાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "વર્તમાન સરકારે પદ્મ પુરસ્કાર સન્માનિતની યાદીમાં પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. હવે ધ્યાન દેશના લોકો પર છે જેઓ સમાજ અને દેશના સુધારણામાં પોતાનું અજોડ યોગદાન આપે છે.

પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને 'અયોગ્ય' ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ
Anand Mahindra honored with Padma Bhushan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:21 AM
Share

આ વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત દેશના નાગરિક પુરસ્કાર સમારોહમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021 માટે જે લોકોને નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ સામેલ છે. જે લોકોએ પોતાના કામ અને મજબૂત ઈરાદાથી દેશને ગૌરવ અપાવ્યું તેમાં હરેકલા હજબાનું નામ સામેલ છે જેમણે રસ્તા પર નારંગી વેચીને કમાયેલા પૈસાથી બાળકોના શિક્ષણ માટે ગામમાં શાળા ખોલી છે.

આનંદ મહિન્દ્રાને સન્માનિત કરાયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આનંદ મહિન્દ્રાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળ મહિન્દ્રા ગ્રૂપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલથી લઈને આઈટી અને એરોસ્પેસ સુધીના ઘણા મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.

જાણો આનંદ મહિન્દ્રાએ એવોર્ડનો શ્રેય કોને આપ્યો? રાષ્ટ્રપતિના હાથે પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેણે એક એવી વાત પણ કહી, જેણે આખા દેશનું દિલ જીતી લીધું. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું, “મારા પદ્મ ભૂષણ પુરસ્કાર માટે તમારા અભિનંદન બદલ આપ સૌનો આભાર. એક જૂની કહેવત છે – જો તમે વાડની ઉપર કાચબાને જોશો, તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે તે જાતે ત્યાં પહોંચશે નહીં. હું મહિંદ્રાઈટ્સના ખભાના ટેકે ઉભો છું.

આનંદ મહિન્દ્રાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “વર્તમાન સરકારે પદ્મ પુરસ્કાર સન્માનિતની યાદીમાં પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. હવે ધ્યાન દેશના લોકો પર છે જેઓ સમાજ અને દેશના સુધારણામાં પોતાનું અજોડ યોગદાન આપે છે. હકીકતમાં, હું આવા લોકોની યાદીમાં સામેલ થવાને લાયક નથી લાગતો.”

આનંદ મહિન્દ્રા પોતાને પદ્મ પુરસ્કાર માટે લાયક નથી માનતા આનંદ મહિન્દ્રાના આ બે ટ્વિટમાં બે બહુ મોટા સંદેશ છુપાયેલા છે. પહેલા ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, જે કામ માટે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તેને પૂર્ણ કરનાર તે એકમાત્ર વ્યક્તિ નથી. તેમને આ સન્માન માટે લાયક બનાવવા માટે, મહિન્દ્રા સાથે એક યા બીજી રીતે જોડાયેલા તમામ લોકોનો સહકાર છે. તે જ સમયે, અન્ય એક ટ્વિટ દ્વારા, તે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અગાઉની સરકારોમાં, ફક્ત તે જ લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેઓ પહેલાથી જ મોટી હસ્તી હતા. જ્યારે આ સરકારમાં એવા લોકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે જેઓ પાયાના સ્તરેથી દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ પોતાની સાથે ઉભા રહેવા માટે પોતાને લાયક નથી માનતા.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : Paytm IPO: શા માટે પેટીએમ આઈપીઓને જોખમભર્યો માનવામાં આવી રહ્યો છે? શું છે ફંડ મેનેજરનો દાવો, જાણો અહી

Follow Us
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
g clip-path="url(#clip0_868_265)">