AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm IPO: શા માટે પેટીએમ આઈપીઓને જોખમભર્યો માનવામાં આવી રહ્યો છે? શું છે ફંડ મેનેજરનો દાવો, જાણો અહી

Paytmનો IPO ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે પરંતુ તે સૌથી વધુ બેંકેબલ ન હોઈ શકે. એલ્ડર કેપિટલના ફંડ મેનેજરે આજે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે 18,300 કરોડની ઓફરમાં રોકાણ કરવું એ ખૂબ જ જોખમી દાવ હોઈ શકે છે.

Paytm IPO: શા માટે પેટીએમ આઈપીઓને જોખમભર્યો માનવામાં આવી રહ્યો છે? શું છે ફંડ મેનેજરનો દાવો, જાણો અહી
Paytm IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 12:09 AM
Share

એક ફંડ મેનેજરે આજે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ભારતીય ફિનટેક કંપની પેટીએમની પ્રારંભિક જાહેર ઓફરમાં રોકાણ કરવું એ “ખૂબ જ ઉંચા જોખમ વાળો દાવ” સાબિત થઈ શકે છે અને જો સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થાય તો કંપનીના મૂલ્યાંકનમાં મોટો ઉછાળો જોવા નહીં મળે.

એલ્ડર કેપિટલના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર રાખી પ્રસાદે જણાવ્યું હતું કે “Paytmના કિસ્સામાં જોઈએ તો જ્યાં નેટવર્ક અસર એક તાકાતના રૂપમાં છે, તે વેપારી પરિપ્રેક્ષ્યમાં સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. કંપની પાસે આનો લાભ લેવા માટે લાંબો સમય છે અને આશા છે કે ભવિષ્યમાં આનાથી થોડો ફાયદો પેદા થશે.”

તેમણે કહ્યું કે “મધ્યમથી લાંબા ગાળામાં આ અત્યંત જોખમી દાવ છે,” રાખીએ વધુમાં ઉમેર્યું હતું કે “ટૂંકા ગાળામાં ખરેખર કંઈ થવાનું નથી. હું કહીશ કે તેની માંગ જોવા મળી શકે છે, પરંતુ તેમાં કોઈ મોટું લિસ્ટિંગ ગેઈન જોવા મળશે નહીં, જેમ કે અમે તાજેતરમાં કેટલીક અન્ય કંપનીઓમાં જોયું છે.”

એન્કર રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ

એન્ટ ગ્રુપના રોકાણ વાળી Paytmની IPO સાઈઝ લગભગ 2.5 અરબ ડોલરની છે. જે સોમવાર 8 નવેમ્બરે બિડિંગ માટે ખુલ્યો છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. Paytmના IPO માટે બિડિંગની છેલ્લી તારીખ 10 નવેમ્બર છે. IPOની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર 2,080-2,150 રૂપિયા નક્કી કરવામાં આવી છે. BlackRock Inc અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા એન્કર રોકાણકારોએ Paytmના IPOમાં ભારે રસ દાખવ્યો હતો.

Paytmએ કુલ રૂ 18,300 કરોડના IPOમાં એન્કર રોકાણકારો પાસેથી 45 ટકા અથવા રૂ 8,235 કરોડ એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારો માટે આરક્ષિત હિસ્સા માટે 10 ગણી બિડ મળી છે. આમાં લગભગ 75 રોકાણકારોએ બોલી લગાવી હતી. Paytmના એન્કર રોકાણકારોમાં BlackRock, CPPIB, બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને GIC સહિત ઘણા બ્લુચિપ રોકાણકારોનો સમાવેશ થાય છે.

Paytm ભારતમાં વેપારી બજારનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. જો કે તે Google દ્વારા રોકાણ કરેલ Google Pay અને Walmart દ્વારા રોકાણ કરેલ Phonepay તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય મોબાઈલ પેમેન્ટ માર્કેટની વેલ્યુ 2024 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી પણ વધુ થઈ જશે.

આ વર્ષે ઘણા આઈપીઓને મળ્યો સારો રીસ્પોન્સ

Paytmનો IPO એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં યુનિકોર્ન ટેક્નોલોજીમાં તેજી જોવા મળી રહી છે અને શેરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ છે. ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો અને બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાની પ્રારંભિક જાહેર ઓફરો પ્રથમ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ થઈ હતી, જે સ્પેસમાં રિટેલ રોકાણકારોનો ભારે રસ દર્શાવે છે.

આ પણ વાંચો :  દેશમાં ક્યારે-ક્યાં અને કોણ સ્થાપિત કરશે 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, પેટ્રોલિયમ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">