AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group એ NDTVમાં સ્થાપકોનો 27.26% હિસ્સાનું કર્યું અધિગ્રહણ

NDTV-Adani Group deal : અદાણી જૂથે રોય દંપતી પાસેથી શેર દીઠ રૂ. 342.65ના ભાવે તેમનો હિસ્સો ખરીદ્યો છે. આવી સ્થિતિમાં, આ કિંમતે 1.75 કરોડ શેર વેચીને, રોય દંપતીને 602.30 કરોડ રૂપિયા મળી શકે છે.

Adani Group એ NDTVમાં સ્થાપકોનો 27.26% હિસ્સાનું કર્યું અધિગ્રહણ
NDTV-Adani Group deal
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 7:02 PM
Share

અદાણી ગ્રૂપે NDTVના સ્થાપક પ્રણય રોય અને તેમની પત્ની રાધિકા રોયનો 27.26 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે શુક્રવારે આ માહિતી આપી હતી. કંપની વતી, એવું કહેવામાં આવ્યું છે કે કંપનીની પરોક્ષ પેટાકંપની અને NDTVના પ્રમોટર જૂથમાં સમાવિષ્ટ RRPR એ મીડિયા હાઉસના સ્થાપક પ્રણય રોય અને તેમની પત્ની રાધિકા રોયનો 27.26 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ટ્રાન્સફર દ્વારા હસ્તગત કર્યો છે. 23 ડિસેમ્બરે મીડિયા હાઉસ શરૂ કરનાર રોય દંપતીએ કહ્યું હતું કે તેમના બાકી રહેલા 32.26 ટકા હિસ્સામાંથી તેઓ 27.26 ટકા હિસ્સો અદાણી જૂથને વહેચ્યો છે.

અદાણી ગ્રૂપે રોય દંપતીનો હિસ્સો રૂ. 342.65 પ્રતિ શેરના ભાવે હસ્તગત કર્યો છે. આ કિંમતે 1.75 કરોડ શેરના વેચાણથી રોયને રૂ. 602.30 કરોડ મળવાની ધારણા છે. અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે, કંપનીની પરોક્ષ સબસિડિયરી વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) NDTVમાં 8.27 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે RRPR 29.18 ટકા હિસ્સો ધરાવે છે. નવા એક્વિઝિશન સાથે, NDTVમાં RRPRનો હિસ્સો વધીને 56.45 ટકા થઈ જશે.

કંપનીએ જણાવ્યું હતું કે 30 ડિસેમ્બરે NSEની બ્લોક ડીલ મિકેનિઝમ દ્વારા હિસ્સો સંપાદન પૂર્ણ કરવામાં આવ્યો છે. આ રીતે અદાણી જૂથ ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ’ (NDTV)માં બહુમતી હિસ્સો ધરાવતું આવ્યું છે. રોયસે થોડા અઠવાડિયા પહેલા એનડીટીવીના સૌથી મોટા શેરધારકો તરીકેનો દરજ્જો ગુમાવ્યો હતો. અદાણી જૂથે રોય દંપતી દ્વારા સમર્થિત કંપની આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના પરોક્ષ સંપાદન સાથે એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો લીધો હતો.

ત્યારબાદ, જૂથે જાહેર શેરધારકો પાસેથી પણ 26 ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઓફર કરી હતી. જો કે, આ ઓફરને શેરધારકો તરફથી બહુ સમર્થન મળ્યું ન હતું અને અદાણી જૂથ તેનો હિસ્સો માત્ર 8.26 ટકા સુધી વધારી શક્યું હતું. જોકે, આ સાથે NDTVમાં ગ્રૂપનો કુલ હિસ્સો વધીને 37.44 ટકા થઈ ગયો છે.

અદાણી જૂથનો હિસ્સો NDTVના બંને સ્થાપકોના સંયુક્ત હોલ્ડિંગ કરતાં 32.26 ટકા વધી ગયો હતો. તે પછી જ, રોય દંપતી દ્વારા તેમના કુલ હિસ્સાના 27.26 ટકા વેચવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં પ્રણવ રોય એનડીટીવીના ચેરપર્સન છે જ્યારે તેમની પત્ની રાધિકા રોય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. જોકે, અદાણી જૂથે ગયા અઠવાડિયે તેના પ્રતિનિધિઓ – સંજય પુગલિયા અને સેંથિલ એસ ચેંગલવારાયણને કંપનીના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">