કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ મેટ્રો લાઇનનું સંચાલન કરતી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ (DAMEPL) ની તરફેણમાં ચુકાદો આપતી વખતે આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:18 AM

સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Reliance Infrastructure) ને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પાસેથી 7100 કરોડ રૂપિયા મળશે. દિલ્હી સરકાર અને કેન્દ્ર પાસે DMRC માં 50-50 ટકા હિસ્સો છે. કંપનીના ચેરમેન અનિલ અંબાણી(Anil Ambani)એ મંગળવારે શેરધારકોને આ માહિતી આપી હતી. અંબાણીએ કહ્યું કે DMRC તરફથી મળેલ પેમેન્ટનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. કંપની પર રૂ 3,808 કરોડનું દેવું છે. આ પછી કંપની દેવામુક્ત બનશે.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ મેટ્રો લાઇનનું સંચાલન કરતી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ (DAMEPL) ની તરફેણમાં ચુકાદો આપતી વખતે આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડરોને સંબોધતા અંબાણીએ જણાવ્યું હતું કે “સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રિલાયન્સ ઇન્ફ્રાના યુનિટ DAMEPL ને DMRC પાસેથી રૂ 7,100 કરોડ મળશે. આ રકમનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. આ પછી કંપની દેવામુક્ત બનશે.

15 હજાર કરોડના દાવા પેન્ડિંગ અંબાણીએ કહ્યું કે કંપનીના 15,000 કરોડ રૂપિયાના વધારાના દાવાઓ વિવિધ મંચો પર પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાના પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ માટે કંપનીની નિયમનકારી સંપત્તિ મંજૂર છે અથવા વિવિધ ફોરમમાં વિવાદિત છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં કંપનીએ દિલ્હી આગ્રા ટોલ રોડમાં 100 ટકા હિસ્સો ક્યુબ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીન પીટીઇ લિમિટેડને 3,600 કરોડમાં વેચ્યો હતો. આ સિવાય કંપનીએ પાર્વતી કોલ્ડમ ટ્રાન્સમિશન કંપની લિ.ને 900 કરોડના ઉપક્રમ મૂલ્ય માટે ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટમાં તેના સમગ્ર 74 ટકા હિસ્સાનું વેચાણ પૂર્ણ કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અનિલ અંબાણીએ ભવિષ્યની યોજના જણાવી અંબાણીએ કહ્યું કે વીજ વિતરણ, એન્જિનિયરિંગ, બાંધકામ વ્યવસાય અને સંરક્ષણ ઉત્પાદનમાં નવા કરારો કંપનીના નવા વિકાસ એન્જિન છે. અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ માટે છેલ્લા કેટલાક વર્ષો મુશ્કેલ રહ્યા છે. જૂથને ટેલિકોમ વ્યવસાયમાંથી બહાર નીકળવું પડ્યું છે અને અન્ય નાણાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શેર પ્રદર્શન DMRC સંબંધિત નિર્ણય બાદ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સતત વધતા રહ્યા છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રો માટે તે અપર સર્કિટ લીધી હોવાનું જણાય છે. મંગળવારે શેર રૂ 81.75 પર બંધ થયો હતો. છેલ્લા એક સપ્તાહમાં શેર 20 ટકા વધ્યો છે. આ વર્ષે આ કંપનીએ 205 ટકાનું મોટું રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો : Market Watch : શેરબજારમાં આજે આ શેરમાં હલચલ જોવા મળી શકે છે! જાણો તેમાં શું આવ્યા છે અપડેટ

આ પણ વાંચો : જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">