AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

દોઢ વર્ષનું એરીયર્સ હજુ આપવામાં આવ્યું નથી. અત્યારે સરકાર સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કર્મચારીઓની માંગને ધ્યાનમાં રાખીને સરકાર એરિયર્સ આપશે.

7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ
7th Pay Commission
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:48 AM
Share

કેન્દ્ર સરકારે જૂન 2021 માં કેન્દ્રીય કર્મચારીઓ(Central Government Employees) ના 18 મહિના માટે પડતર મોંઘવારી ભથ્થું (Dearness Allowance) વધારવાની જાહેરાત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે આ મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) 1 જુલાઈ 2021 થી લાગુ થશે. 17 ટકાથી 28 ટકા DA કરાયું પરંતુ 18 મહિનાના અસ્થાયી રૂપે અટકાવેલા DAનું શું થશે તે કહ્યું નથી. સરકારે માત્ર એટલું જ કહ્યું કે જૂન 2021 સુધી DA ફ્રીઝ કરાયું હતું.

NCJCM ને DA એરીયર મળવાની આશા નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમ સેક્રેટરી (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાએ મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બદલ સરકારને અભિનંદન આપ્યા હતા પરંતુ એરીયર્સની ચર્ચા ન થતાં તેઓ નારાજ હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે દોઢ વર્ષનું એરીયર્સ હજુ આપવામાં આવ્યું નથી. અત્યારે સરકાર સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કર્મચારીઓની માંગને ધ્યાનમાં રાખીને સરકાર એરિયર્સ આપશે. કેબિનેટે 1 જુલાઈ, 2021 થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DA અને મોંઘવારી રાહત (DR) માં 11 ટકાનો વધારો મંજૂર કર્યો હતો, જેનાથી 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થયો હતો.

કેન્દ્રએ 30 જૂન 2021 સુધી વધારાને અટકાવ્યો હતો નાણાં મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને મૂળ પગારના હાલના 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે. ગયા વર્ષે એપ્રિલમાં નાણાં મંત્રાલયે કોરોનાવાયરસ રોગચાળાને કારણે 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો. મોંઘવારી ભથ્થાનો દર 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધી 17 ટકા હતો.

આ પણ વાંચો : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ જૂન ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી, નફો 55 ટકા વધારા સાથે 6504 કરોડ થયો

આ પણ વાંચો :Kumar Mangalam Birla એ VI ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હિમાંશુ કપાનિયાને જવાબદારી સોંપાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">