AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumar Mangalam Birla એ VI ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હિમાંશુ કપાનિયાને જવાબદારી સોંપાઈ

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી હિમાંશુ કપાનિયા(Himanshu Kapania) જે હાલમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તેમને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પસંદ કર્યા છે. કપાનિયાને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષથી વધુનો અનુભવ છે.

Kumar Mangalam Birla એ VI ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હિમાંશુ કપાનિયાને જવાબદારી સોંપાઈ
Kumar Mangalam Birla
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:45 AM
Share

આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group)ના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla)એ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea) ના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીએ બુધવારે આ માહિતી જાહેર કરી છે.

વોડાફોન આઈડિયા લિમિટેડે (Vodafone Idea Limited)જણાવ્યું હતું કે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા નોમિનેટ થયેલા હિમાંશુ કપાનિયાને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફારો એવા સમયે આવ્યા છે જ્યારે VIL ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.

રાજીનામુ સ્વીકારી નિર્ણય અમલમાં લેવાયો કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, “વોડાફોન આઈડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે મળેલી બેઠકમાં કુમાર મંગલમ બિરલાની બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનપદેથી રાજીનામું આપવાની વિનંતી સ્વીકારી છે. 4 ઓગસ્ટ 2021 ના ​​રોજ કામના કલાકો બાદ તે લાગુ કરાયું છે ”

હિમાંશુ કાપનિયાને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી હિમાંશુ કપાનિયા(Himanshu Kapania) જે હાલમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તેમને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પસંદ કર્યા છે. કપાનિયાને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષથી વધુનો અનુભવ છે. તેમને વૈશ્વિક ટેલિકોમ કંપનીઓમાં ટોચના સ્તરે કામ કરવાનો અનુભવ પણ છે. તેમણે બે વર્ષ સુધી ગ્લોબલ જીએસએમએ બોર્ડમાં પણ સેવા આપી છે અને બે વર્ષ સુધી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI) ના પ્રમુખ પણ રહ્યા છે,

વધુમાં, નામાંકન અને પરિશ્રમિક સમિતિની ભલામણના આધારે બોર્ડે આદિત્ય બિરલા જૂથના નોમિની સુશીલ અગ્રવાલને 4 ઓગસ્ટ, 2021 થી વધારાના નિયામક (બિન-કાર્યકારી અને બિન-સ્વતંત્ર) તરીકે નિયુક્ત કર્યા છે.

શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે બુધવારે વોડાફોન આઈડિયા (VI) નો શેર 18.5 ટકા ઘટીને 6.00 રૂપિયા સુધી સરકી ગયો છે. ઇન્ટ્રા-ડે વેપારમાં BSE પર 52-સપ્તાહની નીચી સપાટીએ 5.95 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. એક અહેવાલ અનુસાર Vodafone Group Plc એ ભારતમાં દેવામાં ડૂબેલા ટેલિકોમ સંયુક્ત સાહસમાં વધુ ઇક્વિટી ઇન્ફ્યુઝનનો ઇનકાર કરી દીધો છે.

આ પણ વાંચો : EPFO : નોકરીઓ બદલ્યા પછી તમે PF ખાતાની આ માહિતી જાતે અપડેટ કરી શકશો ,જાણો કઈ રીતે

આ પણ વાંચો : Income Tax : કરદાતાઓને મોટી રાહત, સરકારે આ 6 ફોર્મ અને સ્ટેટમેન્ટ માટે સમયમર્યાદામાં વધારો કર્યો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">