AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: હોળી પહેલા સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશખબર, સરકાર પગાર વધારો આપી શકે છે

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર DAમાં લગભગ 3 ટકાનો વધારો કરી શકે છે. અત્યારે ડીએ 31 ટકા છે. ટૂંક સમયમાં તે 34 ટકા થવાની ધારણા છે.

7th Pay Commission: હોળી પહેલા સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશખબર, સરકાર પગાર વધારો આપી શકે છે
7th Pay Commission
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 10:20 AM
Share

હોળીનો તહેવાર આવી રહ્યો છે અને આ અવસર પર મોદી સરકાર દેશના લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ (7th Pay Commission DA Hike)આપવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. એવી અપેક્ષા છે કે સરકાર 5 રાજ્યોની ચૂંટણી પછી અને હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપશે.

DA કેટલું વધી શકે?

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર DAમાં લગભગ 3 ટકાનો વધારો કરી શકે છે. અત્યારે ડીએ 31 ટકા છે. ટૂંક સમયમાં તે 34 ટકા થવાની ધારણા છે. મોદી સરકારના આ પગલાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ઘણો ફાયદો થશે. જો આમ થાય છે, તો તેનાથી કર્મચારીઓને 73,440 રૂપિયાથી લઈને 2,32,15,220 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.

પગાર કેટલો વધી શકે?

જો મોદી સરકાર DAમાં 3% વધારો કરે છે તો કર્મચારીઓના પગારમાં લગભગ 20 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ડીએમાં 3 ટકા અને પછી જુલાઈમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મોદી સરકાર તરફથી ડીએમાં 3 ટકાના વધારા બાદ ડીએ 34 ટકા થઈ જશે. હવે એ જોવાનું રહેશે કે કેન્દ્રીય કર્મચારીઓને આ સારા સમાચાર ક્યાં સુધી મળી શકે છે.

પગારની ગણતરી સમજો

જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો તેને 31 ટકા ડીએના દરે દર મહિને 5,580 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. જો ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવે તો તે 34 ટકા થશે. આમ, ડીએ 34 ટકા વધીને 6,120 રૂપિયા પ્રતિ માસ થશે. જો તેને માસિક વધારાની દૃષ્ટિએ જોવામાં આવે તો તે લગભગ રૂ. 540 (6120-5580) પગાર થશે.

કર્મચારીઓ અને પેંશનધારકોને લાભ મળશે

મોંઘવારી ભથ્થામાં વધારાથી 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી ચૂંટણી પહેલા સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને કર્મચારીઓ વચ્ચે લટકતો DA પુનઃસ્થાપિત કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ મામલે કેબિનેટ સચિવ સાથે ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો : LIC IPO સંબંધિત તમામ વિગતો ટૂંક સમયમાં જાણી શકાશે, સોમવારે SEBI પાસેથી મંજૂરીના અણસાર

આ પણ વાંચો : સરકાર આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં 6000 રૂપિયા જમા કરે છે, જાણો કોને મળશે લાભ અને અરજીની રીત

g clip-path="url(#clip0_868_265)">