6 Years of GST: સરકારને કેટલો નફો કેટલું નુકસાન? સરકારી તિજોરીમાં દર મહિને 1 લાખ કરોડથી વધુની આવક

6 Years of GST: દેશમાં કરચોરી અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે જુલાઈ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યો હતો અને 1 જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયાને 6 વર્ષ થઈ ગયા છે. સરકાર GST દ્વારા દર મહિને 1 લાખ કરોડથી વધુ ખજાનામાં ભરી રહી છે. અગાઉ સરકારનું અંદાજિત મંથલી GST કલેક્શન ભારે મુશ્કેલીથી થઈ શકતું હતું.

6 Years of GST: સરકારને કેટલો નફો કેટલું નુકસાન? સરકારી તિજોરીમાં દર મહિને 1 લાખ કરોડથી વધુની આવક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 7:42 AM

6 Years of GST: દેશમાં કરચોરી અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે જુલાઈ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યો હતો અને 1 જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયાને 6 વર્ષ થઈ ગયા છે. સરકાર GST દ્વારા દર મહિને 1 લાખ કરોડથી વધુ ખજાનામાં ભરી રહી છે. અગાઉ સરકારનું અંદાજિત મંથલી GST કલેક્શન ભારે મુશ્કેલીથી થઈ શકતું હતું. પરંતુ હવે માસિક 1.5 લાખ કરોડનું GST કલેક્શન સામાન્ય થઈ ગયું છે.આજે, ભારત સરકારની કર આવકમાં GSTનું મહત્વનું યોગદાન છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન સરકારનો GST ટેક્સ રેવન્યુ મોરચે સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે. પરંતુ સરકાર માટે કરચોરીનો પડકાર હજુ પણ સામે છે કારણ કે જુલાઈ 2017થી અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાની કરચોરીનો અંદાજ જણાવવામાં આવી રહ્યો છે. જો કે, ટેક્સ સિસ્ટમમાં છેતરપિંડીની નવી રીતો પણ અજમાવવામાં આવી રહી છે, પરંતુ ટેક્સ અધિકારીઓ તેનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરચોરી અટકાવી શકાય.

નકલી દસ્તાવેજોના આધારે નકલી કંપનીઓ બનાવનારાઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દાવો કરવા માટે ધરપકડ કરવામાં આવી રહી છે. આ માટે GST અધિકારીઓએ ડેટા એનાલિટિક્સ, AI અને મશીન લર્નિંગનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. આ સાથે નકલી દસ્તાવેજોના આધારે નકલી કંપનીઓને પકડી શકાશે અને ટેક્સ ચોરી પર અંકુશ લાવી શકાશે.

સરકારને 3 લાખ કરોડનું નુકસાન

સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ 2017માં GST લાગુ થયા બાદ નકલી કંપનીઓ દ્વારા નકલી દસ્તાવેજો દ્વારા લગભગ 3 લાખ કરોડ રૂપિયાની કરચોરીનો અંદાજ છે. આ ઠગ કંપનીઓ દ્વારા અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં જ 1,00,000 કરોડ રૂપિયાથી વધુની કરચોરીનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. જેના કારણે સરકારને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ જણાવ્યું હતું કે GST સિસ્ટમમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો તેના નેટવર્કને આગળ વધારવાનો છે, જેથી નકલી સપ્લાય અને ITCના બનાવટી દાવાઓને રોકી શકાય.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

GSTN એડવાન્સ હોવું જોઈએ

જીટીઆરઆઈના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે માત્ર ડેટા એનાલિટિક્સ અને ફિઝિકલ ચેકિંગ દ્વારા ટેક્સ ચોરીની સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી. GSTN માટે એડવાન્સ એવી રીતે થવી જોઈએ કે સપ્લાયર્સ દ્વારા આપવામાં આવેલી વિગતો ITC ક્લેમમાં ઉભા કરાયેલા બિલ સાથે મેચ થઈ શકે. 6 વર્ષ પછી પણ GSTN વેલ્યુ ચેઇનમાં સપ્લાય સંબંધિત માહિતી ઉમેરી શક્યું નથી. જેના કારણે સરકારની આવકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જે લોકો ઈમાનદારીથી વેપાર કરે છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલ પર ક્યારે GST લાગશે?

છેલ્લા 6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે પણ અનેક મુદ્દાઓ સામે આવ્યા હતા, પરંતુ સરકાર આજ સુધી આ મુદ્દાઓ પર કોઈ નિર્ણય લઈ શકી નથી. ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવે તો સરકારનું GST કલેક્શન ઝડપથી વધી શકે છે. GST કાઉન્સિલે GSTને વધુ સમાવિષ્ટ બનાવવા માટે આ સુધારાનો અમલ કરવો જોઈએ. જો કે, આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સુધારાઓ લાગુ થવાની શક્યતા ઓછી છે.

એપ્રિલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી ઊંચું છે

આ ટેક્સ મારફતે સરકારની આવક 1.5 લાખ કરોડને પર થઈ  ગઈ છે. એપ્રિલ 2023માં સરકારની કરવેરા આવક રૂ. 1.87 લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. તે જ સમયે, પ્રારંભિક તબક્કામાં, સરેરાશ માસિક આવક 85,000-95,000 કરોડ હતી. સરકારની માસિક આવક સતત વધી રહી છે. આ સાથે, GST અધિકારીઓ હવે છેતરપિંડી કરનારાઓને પકડવા અને કરચોરીને રોકવા પર મહત્તમ ધ્યાન આપી રહ્યા છે. જેથી કરચોરી અટકાવી શકાય.

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">