AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જોર પકડી રહી છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવી બંધ થઈ જશે. આ દાવા બાદ લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે. પરંતુ હકીકત શું છે? શું ખરેખર સરકારે 500 રૂપિયાની નોટને ATMમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે? ચાલો આ મુદ્દે સંપૂર્ણ સત્ય જાણીએ.

Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા
| Updated on: Jan 02, 2026 | 7:23 PM
Share

ગયા વર્ષે કેન્દ્ર સરકારે બેંકોને ATMમાં નાની નોટોની ઉપલબ્ધતા વધારવા સૂચના આપી હતી. ખાસ કરીને 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી સામાન્ય લોકોને રોજિંદા લેવડદેવડમાં સરળતા રહે. આ સૂચનાને અનુસરીને અનેક બેંકો દ્વારા ATMમાં નાની નોટોની સંખ્યા વધારવામાં આવી હતી.

જો કે, આ નિર્ણયનો અર્થ એ ક્યારેય નહોતો કે 500 રૂપિયાની નોટને બંધ કરવામાં આવશે અથવા ATMમાંથી હટાવવામાં આવશે. છતાં, સોશિયલ મીડિયા પર કેટલાક ભ્રામક પોસ્ટ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ ઉપલબ્ધ નહીં રહે.

આ દાવા અંગે હવે સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ સ્પષ્ટતા કરી છે. પીઆઈબી (PIB) ફેક્ટ-ચેક અનુસાર, સોશિયલ મીડિયા પર ફરતો આ દાવો સંપૂર્ણપણે ખોટો અને આધારવિહોણો છે. સરકાર પાસે 500 રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરવાની કે ATMમાંથી દૂર કરવાની કોઈ યોજના નથી.

પીઆઈબીએ વધુમાં જણાવ્યું છે કે 500 રૂપિયાની નોટો સંપૂર્ણપણે કાયદેસર છે અને દેશમાં તમામ પ્રકારના વ્યવહારો માટે માન્ય છે. સરકારએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરે.

આ પહેલી વાર નથી જ્યારે 500 રૂપિયાની નોટને લઈને આવી અફવાઓ ફેલાઈ હોય. અગાઉ પણ નોટબંધી અથવા 500 રૂપિયાની નોટ બંધ થવાની વાતો સામે આવી હતી, જેને સરકાર દ્વારા સ્પષ્ટપણે ફગાવી દેવામાં આવી હતી. જૂન મહિનામાં પણ PIB એ X (પૂર્વે ટ્વિટર) પર સ્પષ્ટ કર્યું હતું કે માર્ચ 2026માં નોટબંધી અંગેના દાવા ખોટા છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

વર્ષના પહેલા જ દિવસે હિમાચલ પ્રદેશમાં મોટો ધમાકો, જુઓ Video 

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">